SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૬૧ : માટે અરહંત પરમેષ્ઠીને જ નમસ્કાર કર્યા છે. કહ્યું પણ છે કે અરહંત પરમેષ્ઠીના પ્રતાપથી મોક્ષમાર્ગની સિદ્ધિ થાય છે, એટલે મુનિવરોએ શાસ્ત્રના શરૂઆતમાં અરહંત પરમેષ્ઠીના ગુણોની સ્તુતિ કરી છે.” (બર્ફી દ્રવ્ય સંગ્ર) અરહંત ભગવાનથી સાક્ષાત્ દિવ્ય ધ્વનિનો લાભ મળે છે. જો અરહંત ભગવાન ન હોત તો આપણને આપ્ત, આગમ અને પદાર્થોનું વિશેષજ્ઞાન ન થઇ શકત અરહંતોના પ્રસાદથી જ આપણને રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. એના વગર આપણને દુઃખથી છૂટવાનો ઉપાય અને સુખની પ્રાપ્તિનો ઉપાય ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે અરહંત આપણા પરમ ગુરુ છે, આ કારણે સિદ્ધોના પહેલા અરહંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. બીજી વાત એ છે કે બધાથી વધારે ગુણવાળા સિદ્ધ પરમેષ્ઠીમાં શ્રદ્ધા ભક્તિ ઉત્પન્ન કરાવવાવાળા, તેઓની મહિમા બતાવવાવાળા તો અરહંત જ છે જો અરહંત ભગવાન પોતાની દિવ્ય ધ્વનિ દ્વારા સિદ્ધોનું સ્વરૂપ ન સમજાવતાં, તેમની મહિમાથી આપણને પરિચિત ન કરાવતા, એમના ગુણોનું આપણને જ્ઞાન ન કરાવતા તો આપણને કેવી રીતે ખબર પડે કે સિદ્ધ કોણ છે, તેમનું સ્વરૂપ શું છે, અને તેમનું અનુસરણ કરવાથી આપણને સિદ્ધ દશા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? એટલે અરહંત ભગવાન આપણા સન્માર્ગ દર્શક – તત્ત્વોપદેશક પરમગુરુ છે. આ અપેક્ષાથી અરહંત ભગવાન જ અમારા પહેલા વંદનીય છે. પંચ પરમેષ્ઠીમાં રત્નત્રય તેમજ વીતરાગ-વિજ્ઞાનની પૂર્ણતા તેમજ અપૂર્ણતાની દૃષ્ટિએ પંચ પરમેષ્ઠીઓને બે વિભાગોમાં વર્ગીકૃત કરતા ડો. નેમીચન્દજી શાસ્ત્રીએ લખ્યું છે કે : અરહંત અને સિદ્ધમાં નમસ્કારનો ઉપર મુજબ ક્રમ માનતાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કારમાં એ ક્રમનો નિર્વાહ કેમ કરવામાં આવ્યો નથી? અહીં પણ બધાથી પહેલા સાધુ પરમેષ્ઠી ને નમસ્કાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy