________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: પ૩: મોકાર મંત્રનું મહાભ્ય”
હવે ણમોકાર મંત્રના મહાભ્યને દર્શાવનારી એ મહાન ગાથા ઉપર વિચાર કર્યો જાય જે હજારો વર્ષોથી આ મહામંત્રની સાથે બોલવામાં આવે છે, એ ગાથા આ પ્રકારે છે: –
એસો પંચ ણમોયારો, સબ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વસિં, પઢમં હો હિ મંગલ.” આ પંચ નમસ્કાર મંત્ર બધા પાપોનો નાશ કરવાવાળો છે તથા બધાં મંગળોમાં પહેલો (સર્વ શ્રેષ્ઠ) મંગળ છે.
ણમોકાર મંત્રની મહિમા બતાવવાવાળી આ પ્રસિદ્ધ ગાથામાં બે વાતો કહેલ છે. એક તો એક આ મંત્ર બધા પાપો નો નાશ કરવાવાળો છે અને બીજી એ કે આ મંત્ર બધા મંગળોમાં પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગળ છે.
પહેલી વાત ઉપર ટીકા-ટિપ્પણી કરતાં કેટલાંક લોકો કહે છે કે જો મોકાર મંત્ર બધા પાપોનો નાશ કરવાવાળો છે, તો જે લોકો હંમેશા જ નિયમિત રૂપથી ત્રિકાળ ણમોકાર મંત્રનો જાપ કરે, પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે છે, એમના જીવનમાં ઘણાં દુ:ખો કેમ જોવાય છે. અથવા જે પોતે પંચપરમેષ્ઠીમાં છે, એવા પાંચ પાંડવો ઉપર એવો ભયંકર ઉપસર્ગ કેમ થયો? તેઓને આગથી બળતા લોખંડના કડા કેમ પહેરાવવામાં આવ્યા?
એક નહીં એવા તો ઘણા પૌરાણિક ઉદાહરણ આપી શકાય તેમ છે, જેમણે હૃદયથી પંચપરમેષ્ઠીની આરાધના કરી, દરરોજ ણમોકાર મંત્રનો જાપ કર્યો અને પોતે પણ પંચપરમેષ્ઠી પદ ઉપર વિરાજમાન રહ્યા, તો પણ ઘણા પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડયો. ભાવલિંગી તદ્દભવ મોક્ષગામી સુકુમાલ મુનિને શિયાળીનિએ ખાધા, સુકૌશલ મુનિરાજને સિંહણોએ ખાધા, ગજકુમાર મુનિરાજના માથા ઉપર બળતી સગડી મૂકી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com