SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૨૨ : અશરણ છે, સંસારમાં કોઈપણ શરણ નથી. નિશ્ચયથી વિચાર કરો તો એક પોતાનો આત્મા જ શરણ છે, પણ વ્યવહારથી પંચ પરમેષ્ઠીને પણ શરણ કહેવાય છે. એમને છોડીને જે બીજાની શરણ શોધે છે, બીજાની શરણમાં જાય છે, એ આત્મા બહિરાત્મા છે, મૂઢ છે, મિથ્યાદષ્ટિ છે.” સંસારી જીવ સન્માર્ગથી ન ભટકી જાય, ઉન્માર્ગમાં ન અટકી જાય, સાચી શરણને પ્રાપ્ત થાય, એટલે આ “ચત્તારિ શરણે પવ્રજજામિ” મહામંત્રનો પણ નિયમીત જાપ કરો, પાઠ કરો. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે લોકમાં પરમ મંગળ, પરમોત્તમ અને પરમશરણભૂત જો કોઈ હોય તો એક માત્ર પંચપરમેષ્ઠી જ છે. ણમોકાર મહામંત્રમાં પરમ મંગલમય, પરમોત્તમ અને પરમશરણભૂત આ પંચપરમેષ્ઠીઓને જ નમસ્કાર કર્યા છે, સ્મરણ કરવામાં આવ્યા છે. એટલે આ સિદ્ધ છે કે જૈનીઓનો આ મહામંત્ર લૌકિક ઉપલબ્ધિઓ માટે નથી અને ન તો એમાં આ પ્રકારની કોઇ કામના કરેલ છે. આ તો પરમ ભક્તિનું સહજ સ્કૂરણ છે, જે કામનાઓનો નાશ કરવાવાળો છે, વાસનાઓનું દમન કરવાવાળો છે, લૌકિક ઉપલબ્ધિઓના ત્યાગની પ્રેરણા દેવાવાળો છે કામનાઓ તેમજ વાસનાઓની પૂર્તિ માટે તેનો ઉપયોગ કરવો તે કાગડાને ઉડાડવા માટે બહુ મૂલ્ય રત્નને ફેકવા જેવી બાલચેષ્ટા છે. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008270
Book TitleNamokar maha mantra
Original Sutra AuthorN/A
AuthorRatanchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1990
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size478 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy