________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૦:
સામાન્ય માણસની શું વાત? આ પ્રકારે કાળ આવે ત્યારે નવ નિધિઓ, ચૌદ રત્ન, ઘોડા અને મદોન્નમત હાથી તેમજ સુસજિજત ચતુરંગ સેના પણ ચક્રવર્તીને શરણ નથી આપી શકતા, ત્યારે સાધારણ માણસને કોણ શરણ આપે ?”
આજ વાતને કવિવર ભૂધરદાસજીએ પોતાની બાર ભાવનામાં અત્યંત સંક્ષેપમાં અને કડી (સશકત) ભાષામાં કહેલ છે એ કહે છેઃ“દલબલ દેઇ – દેવતા, માત-પિતા પરિવાર,
મરતી બિરિયાઁ જીવકો, કોઇ ન રાખનહાર.
આ જીવને મરણકાળ આવે ત્યારે સેનાની શક્તિ, દેવી-દેવતા, માતા-પિતા અને પરિવાર જન કોઇપણ બચાવી શકતો નથી.
,,
પંડિત દૌલતરામજીએ છ ઢાળાની પાંચમી ઢાળમાં કહ્યું છે :
સુર અસુર ખગાધિપ જે તે, મૃગ જયોં હરિકાલ દલેં તે, મણિ-મંત્ર-તંત્ર બહુ હોઇ, મરતે ન બચાવે કોઇ. આ વાતને નીચેના છન્દમાં હજુ વધારે સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
66
કાલસિંહ ને મૃગચેતન કો ઘે૨ા ભવવન મેં, નહીં બચાવનહારા કોઇ યોં સમજો મન મે, મંત્ર-તંત્ર સેના ધન સમ્પતિ રાજપટ છૂટે, વશ નહીં ચલતા કાલ લુટેરા કાય નગરી લૂટે. ચક્રરતન હલધર-સા ભાઈ કામ નહિં આયા, એક તીર કે લગત કૃષ્ણ કી વિનશ ગઇ કાયા. દેવ-ધર્મ-ગુરુ શરણ જગતમેં ઔર નહીં કોઇ, ભ્રમ સે ફિર ભટકતા ચેતન ચ્ હી ઉમર ખોઇ.
(બાર ભાવના વિવર મંગતરાય )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com