________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
:૩૫ : પંચાસાર – દર્શન જ્ઞાન ચરિત્ર તપ વીરજ પંચાચાર.
(૧) દર્શનાચાર (૨) જ્ઞાનાચાર, (૩) ચારિત્રાચાર, (૪)તપાચાર (૫) વીર્યાચાર, આ પાંચ આચાર છે. છ આવશ્યક :
સમતા ઘર વંદન કરે, નાના થતિ બનાય.
પ્રતિક્રમણ સ્વાધ્યાય જુત, કાયોત્સર્ગ લગાય. (૧) સમતા (૨) વંદના (૩) સ્તવન (૪) પ્રતિક્રમણ (૫) સ્વાધ્યાય (૬) કાયોત્સર્ગ આ છે આવશ્યક છે.
ત્રણ ગુપ્તિ – મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આ ત્રણ ગુપ્તિઓ છે.
આ બધાં મળીને આચાર્ય પરમેષ્ઠીનાં (૩૬) મૂળગુણ છે.
અથવા સ્વાનુભૂતિથી ઉછળતાં સુખ સાગરમાં લીન રહેવાવાળા અતિન્દ્રિય આનંદના ઝૂલો ઝૂલવાવાળા આચાર્ય પરમેષ્ઠી જયારે જયારે શુભ ભાવની ભૂમિમાં આવે છે ત્યારે ત્યારે એમને ઉપર મુજબ (૩૬) મૂળગુણોનું નિરતિચાર પાલન કરવાનો જ ભાવ આવે છે. અને બહારથી આ બાહ્ય લક્ષણોથી એમનાસ્વરૂપને જાણી-ઓળખી શકાય છે. સ્વભાવમાં અને પરિણતિમાં તો બધા સાધુ એક સમાન જ હોય છે. માત્ર શુભભાવોમાં હિનાધિકતા હોવાથી જ એમના ભેદ પડે છે. જેમાં નાનામોટાપણાની ઓળખાણ થાય છે.
સર્વે આચાર્ય પરમેષ્ઠીને નમસ્કાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com