________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૫ :
આ સાંભળીને તેઓ એકદમ ચોંકી ઊઠે છે કે એટલે અમારું પરિણમન ભગવાનના જ્ઞાનને આધીન થઈ ગયું છે, અમે જે ઇચ્છીએ એમ ના કરી શકીએ. અમે તો પરાધીન થઇ ગયા છીએ એમને એમ કેમ સમજમાં આવતું નથી કે ભગવાના જ્ઞાનને આધીન વસ્તુનું પરિણમન નથી થતું, જે સ્વરૂપ વસ્તુ સ્વયં પરિણમી હતી, પરિણમી રહી છે અને પરિણમશે, ભગવાને તો તેને તે સ્વરૂપે માત્ર જાણી છે.
જ્ઞાન તો “પર” ને માત્ર જાણે છે. પરિણમાવતું નથી. જે રીતે જ્ઞાનને આધીન પર વસ્તુ નથી, એ રીતે વસ્તુને આધીન જ્ઞાન નથી; બન્ને નું સ્વતંત્ર પરિણમન પોત-પોતાના કારણે થાય છે. જ્ઞાનને જાણી લેવાથી વસ્તુની સ્વતંત્રતા કેવી રીતે ખંડિત થઇ જશે? સ્વતંત્રતા જ્ઞાન થી નહિં પરંતુ આપણા અજ્ઞાન થી ખંડિત થાય છે. જ્ઞાન તો વસ્તુના પરિણમનમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કર્યા વગર જ માત્ર એને જાણે છે.
એમને સર્વજ્ઞતાની વાસ્તવિક શ્રદ્ધા તો હોતી જ નથી, પણ શાસ્ત્રોમાં લખેલ છે કે ભગવાન વીતરાગી અને સર્વજ્ઞ હોય છે; એટલે ભગવાનને સર્વજ્ઞ માન્યા વગર પણ રહેવાતું નથી. આ જ કારણ છે કે સર્વજ્ઞતામાં પોતાની રુચી અનુસાર કલ્પનાઓ કરે છે. કહે છે કે ભૂતકાળ અને વર્તમાનમાં તો જે કાંઈ થવાનું હતું તે થઇ ગયું છે, અને થઈ રહ્યું છે; એને તો ભગવાન નિશ્ચિત રૂપે જાણે છે. પણ ભવિષ્યમાં જે હજુ થયું જ નથી એના વિષયમાં એમ કેમ કહેવાય કે નિશ્ચિત આમ જ થશે. ભવિષ્યને નિશ્ચિત માનવામાં અને સ્વતંત્રતા ખંડિત થતી લાગે છે. કહે છે કે જ્યારે ભવિષ્યમાં નિશ્ચિત જ નથી, તો એને નિશ્ચિત કેમ કહેવાય, એટલે એને સર્વજ્ઞ સશર્ત જાણતા હશે.
જ્ઞાન અનિશ્ચયાત્મક ન હોતાં નિશ્ચયાત્મક હોય છે. ભવિષ્યને અનિશ્ચિત માનવાથી જ્યોતિષ આદિ નિમિત્ત જ્ઞાન પણ કાલ્પનિક સિદ્ધ થશે. જયારે સૂર્યગ્રહણ આદિની ઘોષણા હજારો વર્ષો પહેલાં કરવામાં આવે છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com