________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર
સમયસાર નાટક આદિ ચાર અજીવદ્રવ્ય અમૂર્તિક છે, આ રીતે અજીવદ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિક બે ભેદરૂપ છે; જીવ પણ અમૂર્તિક છે તેથી અમૂર્તિક વસ્તુનું ધ્યાન કરવું વ્યર્થ છે આત્મા સ્વયંસિદ્ધ, સ્થિર, ચૈતન્યસ્વભાવી, જ્ઞાનામૃતસ્વરૂપ છે, આ સંસારમાં જેમને પરિપૂર્ણ અમૃતરસનો સ્વાદ લેવાની અભિલાષા છે તે આવા જ આત્માનો અનુભવ કરે છે.
ભાવાર્થ- લોકમાં છ દ્રવ્ય છે, તેમાં એક જીવ અને પાંચ અજીવ છે; અજીવ દ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિકના ભેદથી બે પ્રકારના છે, પુદ્ગલ મૂર્તિક છે અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એ ચાર અમૂર્તિક છે. જીવ પણ અમૂર્તિક છે. જ્યારે જીવ સિવાય અન્ય પણ અમૂર્તિક છે તો અમૂર્તિકનું ધ્યાન કરવાથી જીવનું ધ્યાન થઈ શકતું નથી*, માટે અમૂર્તિકનું ધ્યાન કરવું એ અજ્ઞાન છે, જેમને સ્વાત્મરસ આસ્વાદન કરવાની અભિલાષા છે તેમને માત્ર અમૂર્તિકપણાનું ધ્યાન ન કરતાં શુદ્ધ ચૈતન્ય, નિત્ય, સ્થિર અને જ્ઞાનસ્વભાવી આત્માનું ધ્યાન કરવું જોઈએ.૧૧.
મૂઢ સ્વભાવ વર્ણન (સવૈયા તેવીસા) चेतन जीव अजीव अचेतन,
लच्छन-भेद उभै पद न्यारे। सम्यक्दृष्टि-उदोत विचच्छन,
भिन्न लखै लखिक निरधारे।। जे जगमांहि अनादि अखंडित,
मोह महामदके मतवारे। ते जड़ चेतन एक कहैं,
तिन्हकी फिरि टेक टरै नहि टारे।।१२।।
* એનાથી અતિવ્યાતિ દોષ આવે છે.
जीवादजीवमिति लक्षणतो विभिन्नं
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तं। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।।११।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com