SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર સમયસાર નાટક આદિ ચાર અજીવદ્રવ્ય અમૂર્તિક છે, આ રીતે અજીવદ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિક બે ભેદરૂપ છે; જીવ પણ અમૂર્તિક છે તેથી અમૂર્તિક વસ્તુનું ધ્યાન કરવું વ્યર્થ છે આત્મા સ્વયંસિદ્ધ, સ્થિર, ચૈતન્યસ્વભાવી, જ્ઞાનામૃતસ્વરૂપ છે, આ સંસારમાં જેમને પરિપૂર્ણ અમૃતરસનો સ્વાદ લેવાની અભિલાષા છે તે આવા જ આત્માનો અનુભવ કરે છે. ભાવાર્થ- લોકમાં છ દ્રવ્ય છે, તેમાં એક જીવ અને પાંચ અજીવ છે; અજીવ દ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિકના ભેદથી બે પ્રકારના છે, પુદ્ગલ મૂર્તિક છે અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એ ચાર અમૂર્તિક છે. જીવ પણ અમૂર્તિક છે. જ્યારે જીવ સિવાય અન્ય પણ અમૂર્તિક છે તો અમૂર્તિકનું ધ્યાન કરવાથી જીવનું ધ્યાન થઈ શકતું નથી*, માટે અમૂર્તિકનું ધ્યાન કરવું એ અજ્ઞાન છે, જેમને સ્વાત્મરસ આસ્વાદન કરવાની અભિલાષા છે તેમને માત્ર અમૂર્તિકપણાનું ધ્યાન ન કરતાં શુદ્ધ ચૈતન્ય, નિત્ય, સ્થિર અને જ્ઞાનસ્વભાવી આત્માનું ધ્યાન કરવું જોઈએ.૧૧. મૂઢ સ્વભાવ વર્ણન (સવૈયા તેવીસા) चेतन जीव अजीव अचेतन, लच्छन-भेद उभै पद न्यारे। सम्यक्दृष्टि-उदोत विचच्छन, भिन्न लखै लखिक निरधारे।। जे जगमांहि अनादि अखंडित, मोह महामदके मतवारे। ते जड़ चेतन एक कहैं, तिन्हकी फिरि टेक टरै नहि टारे।।१२।। * એનાથી અતિવ્યાતિ દોષ આવે છે. जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तं। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं मोहस्तु तत्कथमहो बत नानटीति।।११।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy