SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] | [ ૬૨૯ અભેદરૂપ સ્વસ્થદશા તેમને જ થઈ શકે છે કે જેઓ દર્શનમોહ અને ચારિત્રમોહના ઉદયાધીન રહેતા નથી. આનું તાત્પર્ય એ છે કે, મોક્ષનું કારણ રત્નત્રય બતાવ્યું છે; તે રત્નત્રયને મોક્ષનું કારણ માનીને તેના સ્વરૂપને જાણવાની ઇચ્છા જ્યાં સુધી રહે છે ત્યાં સુધી સાધુ તે રત્નત્રયને વિષયરૂપ (ધ્યેયરૂપ) માનીને તેનું ચિંતવન કરે છે, તે રત્નત્રયના સ્વરૂપનો વિચાર કરે છે. જ્યાંસુધી એવી દશા રહે છે ત્યાં સુધી પોતાના વિચારદ્વારા રત્નત્રય ભેદરૂપ જ જાણવામાં આવે છે, તેથી સાધુના તે પ્રયત્નને ભેદરૂપ રત્નત્રય કહેવામાં આવે છે; તે વ્યવહારની દશા છે. એવી દશામાં અભેદરત્નત્રય કદી થઈ શકતાં નથી, પરંતુ જ્યાં સુધી એવી દશા પણ ન હોય અથવા એ પ્રકારે મુમુક્ષુ સમજી ન લે ત્યાં સુધી તને નિશ્ચયદશા કેમ પ્રાપ્ત થઈ શકે? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયદશા પ્રગટે જ નહીં. એ ખ્યાલમાં રાખવું કે વ્યવહારદશા વખતે રાગ છે તેથી મુમુક્ષુને તે ટાળવાયોગ્ય છે, તે લાભદાયક નથી. સ્વાશ્રિત એકતારૂપ નિશ્ચયદશા જ લાભદાયક છે એવું જો પહેલેથી જ લક્ષ હોય તો જ તેને વ્યવહારદશા હોય છે. જો પહેલેથી જ એવી માન્યતા ન હોય અને તે રાગદશાને જ ધર્મ અગર ધર્મનું કારણ માને તો તેને કદી ધર્મ થાય નહિ અને તેને તે વ્યવહારદશા પણ કહેવાય નહીં; ખરેખર તે વ્યવહારાભાસ છે-એમ સમજવું. માટે રાગરૂપ વ્યવહારદશા ટાળીને નિશ્ચયદશા પ્રગટ કરવાનું લક્ષ પહેલેથી જ હોવું જોઈએ. એવી દશા થઈ જતાં જ્યારે સાધુ સ્વલક્ષ તરફ વળે છે, ત્યારે સ્વયમેવ સમ્યગ્દર્શનમય-સમ્યજ્ઞાનમય તથા સમ્યક્રચારિત્રમય થઈ જાય છે. તેથી તે પોતાથી અભેદરૂપ-રત્નત્રયની દશા છે અને તે યથાર્થ વીતરાગદશા હોવાથી નિશ્ચયરત્નત્રયરૂપ કહેવામાં આવે છે. આ અભેદ અને ભેદનું તાત્પર્ય સમજી જતાં એ વાત માનવી પડશે કે વ્યવહારરત્નત્રય તે યથાર્થ રત્નત્રય નથી. તેથી તેને હેય કહેવામાં આવે છે. જો સાધુ તેમાં જ લાગ્યા રહે તો તેનો તે વ્યવહારમાર્ગ મિથ્યામાર્ગ છે, નિરુપયોગી છે. એમ કહેવું જોઈએ કે તે સાધુએ તેને હેયરૂપ ન જાણતાં યથાર્થરૂપ જાણી રાખ્યો છે. જે જેને યથાર્થરૂપ જાણે અને માને તે તેને કદી છોડે નહિ; તેથી તે સાધુનો વ્યવહારમાર્ગ મિથ્યામાર્ગ છે અથવા તે અજ્ઞાનરૂપ સંસારનું કારણ છે. વળી તેવી જ રીતે જે વ્યવહારને હેય સમજીને અશુભભાવમાં રહે છે અને નિશ્ચયનું અવલંબન કરતા નથી તે ઉભયભ્રષ્ટ (શુદ્ધ અને શુભ બનેથી ભ્રષ્ટ) છે. નિશ્ચયનયનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy