________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧ સૂત્ર ૨]
અર્થ - પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ એટલે કે સારી રીતે નિર્મળ અને મેરુવ નિષ્કપ, અચળ અને ચળ, મલિન તથા અગાઢ દૂષણ રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યકત્વને ગ્રહણ કરીને તેને (સમ્યકત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું શા માટે ધ્યાવવું? દુ:ખના ક્ષય અર્થે ધ્યાવવું.
ભાવાર્થ- શ્રાવકે પહેલાં તો નિરતિચાર નિશ્ચળ સમ્યકત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યકત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહકાર્ય સંબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય, કાર્યના બગડવા-સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુ:ખ મટી જાય, સમ્યગ્દષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વશે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે તેમાં ઇષ્ટ-અનિષ્ટ માની સુખી-દુ:ખી થવું તે નિષ્ફળ છે. આવા વિચારથી દુ:ખ મટે, તે પ્રત્યક્ષ અનુભવગોચર છે, તેથી સમ્યકત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે. હવે સમ્યકત્વનું ધ્યાનનો મહિમા કહે છે:
सम्मत्तं जो झायइ सम्माइट्ठी हवेइ सो जीवो। सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माणि।।
(મોક્ષપાહુડ ગાથા (૭) અર્થ:- જે જીવ સમ્યકત્વને ધ્યાવે છે તે જીવ સમ્યગ્દષ્ટિ છે; વળી તે સમ્યકત્વરૂપ પરિણમતાં દુષ્ટ જે આઠ કર્મો તેનો ક્ષય થાય છે.
ભાવાર્થ- સમ્યકત્વનું ધ્યાન એવું છે કે, જે પહેલાં સમ્યકત્વ ન થયું હોય તો પણ, તેના સ્વરૂપને જાણી તેને ધ્યાવે તો તે સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. વળી સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવનાં પરિણામ એવા હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે, સમ્યકત્વ થતાં જ કર્મની ગુણશ્રેણી નિર્જરા થતી જાય છે. અનુક્રમે મુનિ થાય ત્યારે, ચારિત્ર અને શુક્લધ્યાન તેના સહકારી ોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે. હવે તે વાતને સંક્ષેપમાં કહે છે:
कि बहुणा भणिण्णं जे सिद्धा णरवरा गए काले। सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं ।।
(મોક્ષપાહુડ ગાથા ૮૮) અર્થ- શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે કે- “ ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા તથા ભવિષ્યમાં સિદ્ધ થશે તે સમ્યકત્વનું જ માહાભ્ય જાણો !”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com