________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦]
[ મોક્ષશાસ્ત્ર ભાવાર્થ- આ સમ્યકત્વનું એવું માહાભ્ય છે કે આઠ કર્મોનો નાશ કરી જે ભૂતકાળમાં મુક્તિ-પ્રાપ્ત થયા છે તથા ભવિષ્યમાં થશે, તે આ સમ્યકત્વથી જ થયા છે અને થશે; તેથી આચાર્ય દેવ કહે છે કે વિશેષ શું કહેવું? સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યકત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થીઓને શું ધર્મ હોય! આ સમ્યકત્વ-ધર્મ એવો છે કે જે સર્વધર્મના અંગને સફળ કરે છે. જે નિરંતર સમ્યકત્વ પાળે છે તે ધન્ય છે એમ હવે કહે છે:
ते धण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया। सम्मतं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं।।
(મોક્ષપાહુડ ગાથા ૮૯) અર્થ:- જે પુરુષને મુકિતનું કરવાવાળું સમ્યકત્વ છે, અને તે સમ્યકત્વને પ્રાવસ્થા વિષે પણ મલિન કર્યું નથી–અતિચાર લગાવ્યો નથી, તે પુરુષ ધન્ય છે, તે જ મનુષ્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે અને તે જ પંડિત છે.
ભાવાર્થ- લોકમાં કંઈ દાનાદિક કરે તેને ધન્ય કહીએ તથા વિવાહ, યજ્ઞાદિક કરે છે તેને કૃતાર્થ કહીએ, યુદ્ધમાં પાછો ન ફરે તેને શૂરવીર કહીએ, ઘણાં શાસ્ત્રો ભણે તેને પંડિત કહીએ-આ બધું કથનમાત્ર છે. મોક્ષનું કારણ જે સમ્યક્ત તેને જે મલિન ન કરે, નિરતિચાર પાળે તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે, તે જ મનુષ્ય છે; એ (સમ્યકત્વ) વિના મનુષ્ય પશુસમાન છે. એવું સમ્યકત્વનું માામ્ય કહ્યું છે.
(૯) સમ્યગ્દર્શનનું બળ
કેવળી અને સિદ્ધ ભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થા ઇચ્છતા નથી, તે આ સમ્યગ્દર્શનનું જ બળ જાણવું.
(૧૦) સમ્યગ્દર્શનના ભેદો
જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ, તિર્યંચાદિકના (ઢોર વગેરેના ) અને કેવળી તથા સિદ્ધ ભગવાનના સમ્યગ્દર્શનને સમાન કહ્યું છે, તેઓને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય છે; પણ સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યગ્દર્શનના ત્રણ ભેદ પડે છે, તેનાં નામ-(૧) ઔપથમિક સમ્યગ્દર્શન, (૨) ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન, (૩) ક્ષાયિક સમ્યગ્દર્શન.
ઔપથમિક સમ્યગ્દર્શન- તે દશામાં મિથ્યાત્વકર્મનાં તથા અનંતાનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય છે તેમ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com