________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૨૮-૨૯ ]
[ પ૮૧ ૬. આ સૂત્રનો એવો અર્થ પણ થઈ શકે છે કે, જે જ્ઞાન ચળાચળતા રહિત અચલ પ્રકાશવાળું અથવા દેદિપ્યમાન થાય છે તે ધ્યાન છે. || ર૭ા.
ધ્યાનના ભેદ
ગાર્નરૌદ્રધર્પશુવાનિાા ૨૮ાા અર્થ - [માર્ત રૌદ્ર ઇન્ચે ગુવત્તાન] આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ- એ ચાર ભેદ ધ્યાનના છે.
ટીકા પ્રશ્ન:- આ સંવર-નિર્જરાનો અધિકાર છે અને અહીં નિર્જરાના કારણોનું વર્ણન ચાલે છે. આર્ત અને રૌદ્રધ્યાન તો બંધનાં કારણ છે, તો તેને અહીં કેમ લીધા?
ઉત્તર:- નિર્જરાના કારણરૂપ જે ધ્યાન છે તેનાથી આ ધ્યાનને જુદાં બતાવીને, ધ્યાનના બધા પ્રકારો સમજાવ્યા છે.
આર્તધ્યાન- દુઃખ-પીડા વિષે ચિંતવન. રૌદ્રધ્યાન- નિર્દય-કૂર આશયનું ચિંતવન. ધર્મધ્યાન- ધર્મસહિત ચિંતવન. શુક્લધ્યાન- શુદ્ધ પવિત્ર ઉજ્વળ પરિણામવાળું ચિંતવન. આ ચાર ધ્યાનોમાં પહેલા બે અશુભ છે અને બીજાં બે ધર્મરૂપ છે. || ૨૮
મોક્ષના કારણરૂપ ધ્યાન
પરે મોક્ષદેતૂા. ૨૧ અર્થ- [ રે ] જે ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં તેમાંથી પાછળનાં બે અર્થાત્ ધર્મ અને શુક્લધ્યાન [ મોક્ષદેતૂ ] મોક્ષનાં કારણ છે.
ટીકા પહેલાં બે-આર્તધ્યાન અને રૌદ્રધ્યાન-સંસારનાં કારણ છે અને ધર્મ તથા શુક્લધ્યાન મોક્ષનાં કારણ છે.
પ્રશ્ન- છેલ્લાં બે ધ્યાન મોક્ષનાં કારણ છે એ તો સૂત્રમાં કહ્યું છે; પરંતુ પહેલાં બે ધ્યાન સંસારનું કારણ છે એવો અર્થ સૂત્રમાંથી શી રીતે કાઢ્યો?
ઉત્તર:- મોક્ષ અને સંસાર એ બે સિવાય વચલો કોઈ સાધવા યોગ્ય પદાર્થ
નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com