________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૧૪ ]
[ મોક્ષશાસ્ત્ર
ટીકા
(૧) મોહકર્મનો વિપાક થતાં જીવ જે પ્રકારનો વિકાર કરે તે પ્રકારે જીવે ફળ ભોગવ્યું કહેવાય છે; તેનો અર્થ એટલો કે જીવને વિકાર કરવામાં મોહકર્મનો વિપાક નિમિત્ત છે. કર્મનો વિપાક કર્મમાં થાય, જીવમાં થાય નહિ. જીવને પોતાના વિભાવભાવનો અનુભવ થાય તે જીવનો વિપાક-અનુભવ છે.
(૨) આ સૂત્ર પુદ્ગલકર્મના વિપાક-અનુભવને સૂચવનારું છે. બંધ થતી વખતે જીવનો જેવો વિકા૨ીભાવ હોય તેને અનુસરીને પુદ્ગલકર્મ માં અનુભાગ બંધ થાય છે અને તે ઉદયમાં આવે ત્યારે કર્મનો વિપાક, અનુભાગ કે અનુભવ થયોએમ કહેવાય છે. ૨૧।।
અનુભાગબંધ કર્મના નામ અનુસાર થાય છે
સ યથાનામ।।૨૨।।
અર્થ:- [સ: ] તે અનુભાગબંધ [ યથાનામ ] કર્મોના નામ પ્રમાણે જ થાય છે. ટીકા
જે કર્મનું જે નામ છે તે કર્મમાં તેનો જ અનુભાગબંધ પડે છે. જેમ કેજ્ઞાનાવરણકર્મમાં ‘જ્ઞાન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય' એવો અનુભાગ હોય છે; દર્શનાવરણકર્મમાં ‘દર્શન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય' એવો અનુભાગ હોય છે.।। ૨૨।।
ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે તતબ્ધ નિર્ણા।। રરૂ।।
અર્થ:- [તત: ૬] તીવ્ર, મધ્યમ કે મંદળ ( અનુભાગ ) આપ્યા પછી [નિર્ણા] તે કર્મોની નિર્જરા થઈ જાય છે અર્થાત્ ઉદયમાં આવ્યા પછી કર્મ આત્માથી જુદાં થઈ જાય છે.
ટીકા
૧. આઠે કર્મો ઉદય થયા પછી નિર્જરી જાય છે; તેમાં કર્મની નિર્જરાના બે ભેદ છે-સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા.
(૧) સવિપાક નિર્જરા- આત્મા સાથે એક ક્ષેત્રે રહેલાં કર્મ પોતાની સ્થિતિ પૂરી થતાં જુદાં થઈ ગયાં તે સવિપાક નિર્જરા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com