________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૬ ]
[ મોક્ષશાસ્ત્ર અંતરાય-જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિધ્રમાં જે કર્મનો
ઉદય નિમિત્ત થાય તેને અંતરાયકર્મ કર્યું છે. ૨. પ્રકૃતિબંધના આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત છે; અને બાકીના વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારને અપાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત નથી પણ પ્રતિજીવી ગુણોની પર્યાયના ઘાતમાં નિમિત્ત છે.
વસ્તુમાં ભાવસ્વરૂપ ગુણ અનુજીવી ગુણ અને અભાવસ્વરૂપ ગુણ પ્રતિજીવી ગુણ કહેવાય છે.
૩. જેમ એક જ વખતે ખાધેલા આહાર ઉદરાગ્નિના સંયોગે રસ, લોહી વગેરે જુદા જુદા પ્રકારે થઈ જાય છે, તેમ એક જ વખતે ગ્રહણ થયેલાં કર્મો જીવના પરિણામો અનુસાર જ્ઞાનાવરણ ઇત્યાદિ અનેક ભેદરૂપ થઈ જાય છે. અહીં ઉદાહરણથી એટલો ફેર છે કે આહાર તો રસ, લોહી વગેરે રૂપે ક્રમે ક્રમે થાય છે પરંતુ કર્મો તો જ્ઞાનાવરણાદિ રૂપે એક સાથે થઈ જાય છે. || ૪||
પ્રકૃતિબંધના ઉત્તર ભેદ पंचनवद्वयष्टार्विशतिचतुर्द्विचत्वारिंशद्विपंचभेदा यथाक्रमम्।।५।।
અર્થ:- [ યથાવ્રમમ્] ઉપર કહેલાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના અનુક્રમે [પંચ નવ દિ ગણાવિંશતિ] પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, [વતુ વિવારિંશત્ દ્રિ પવમેવા] ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદો છે. નોંધ- તે ભેદોનાં નામ હવે પછીના સૂત્રોમાં અનુક્રમે જણાવે છે. || પી.
જ્ઞાનાવરણકર્મના પાંચ ભેદ मतिश्रुतावधिमनःपर्ययकेवलानाम्।।६।। અર્થ - [મતિ શ્રત અવધિ ] મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, [મન:પર્યય વેતનામ ] મન:પર્યયજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ-એ પાંચ ભેદો જ્ઞાનાવરણકર્મના છે.
પ્રશ્ન- અભવ્ય જીવને મન:પર્યયજ્ઞાન તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનું સામર્થ્ય નથી, જો તે સામર્થ્ય હોય તો અભવ્યપણું કહી શકાય નહિ; માટે તે બે જ્ઞાનના સામર્થ્ય વગર તેને એ બે જ્ઞાનના આવરણ કહેવાં તે શું નિરર્થક નથી?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com