SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૩૪૪ ] [ મોક્ષશાસ્ત્ર અર્થ:- કોઈ કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામાં રાગ-દ્વેષ ભાવ પુદ્ગલની જબરજસ્તીથી થાય છે. ૬૨. વળી તે કહે છે કે પુદ્ગલકર્મરૂપ પરિણમનના ઉદયમાં જેટલું જેટલું જોર કરે છે તેટલી તેટલી બાહુલ્યતાથી રાગ-દ્વેષપરિણામ થાય છે. ૬૩. અજ્ઞાનીને સત્યમાર્ગનો ઉપદેશ –દોહરા ઇહિ વિધિ જો વિપરીત પખ, ગૌ સહૈ કોઈ । સો નર રાગ વિરોધસૌં, કબહૂ ભિન્ન ન હોઈ ।। ૬૪।। સુગુરુ કહૈં જગમેં રહે, પુગ્ગલ સંગ સદીવ । સહજ શુદ્ધ પરિનમનિૌ, ઔસર લહૈ ન જીવ ।। ૬૫ ।। તાતેં ચિભાવનિ વર્ષે, સમરથ ચેતન રાઉ। રાગ વિરોધ મિથ્યાતĂ, સમકિતમેં સિવભાઉ।। ૬૬।। (જીઓ, સમયસાર-નાટક પા. ૩૫૩) અર્થ:- ઉ૫૨ જે રીત કહી તે તો વિપરીત (ઊંધો ) પક્ષ છે. જે કોઈ તેને ગ્રહે કે શ્રદ્ધે તે જીવને રાગ, દ્વેષ અને મોહ કદી ભિન્ન થાય જ નહિ. શ્રીગુરુ કહે છે કે જીવને પુદ્દગલનો સંગ સદા ( અનાદિનો ) રહે, તો પછી સહજ શુદ્ધ પરિણમનનો અવસર જ કદી જીવને મળે જ નહિ. માટે ચૈતન્યના ભાવ કરવામાં ચેતન રાજા જ સમર્થ છે; તે પોતાથી મિથ્યાત્વદશામાં રાગ-દ્વેષરૂપ થાય છે અને સમ્યક્ત્વદશામાં શિવભાવ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે. ૨. કર્મનો ઉદય જીવને કાંઈ અસર કરી શકતો નથી એટલે કે નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શક્યું નથી. ઇન્દ્રિયોના ભોગો, લક્ષ્મી, સગા-સંબંધી કે મકાનાદિ સંબંધે પણ તે જ નિયમ છે. આ નિયમ શ્રી સમયસાર-નાટકના સર્વવિશુદ્ધદ્વારમાં નીચે પ્રમાણે આપ્યો છે –સવૈયા– કોઉ શિષ્ય કહૈ સ્વામી રાગદોષ પરિનામ, તાકૌ મૂલ પ્રેરક કહું તુમ કૌન હૈ। પુગ્ગલ કરમ જોગ કિધોં ઇન્દ્રિનિકૌ ભોગ, કિોં ધન કોઁ પરિજન કિધોઁ ભૌન હૈ।। ગુરુ કહૈ છહૌં દર્વ અપને અપને રૂપ, સનિકૌ અસહાઈ પરિનૌન હૈ। સદા Please inform us of any errors on [email protected]
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy