________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૨. સૂત્ર પ૧–પર ]
[ ૨૨૫
ટીકા
(૧) લિંગ-વેદ બે પ્રકારનાં છે:- ૧-દ્રવ્યલિંગ=પુરુષ, સ્ત્રી કે નપુંસકત્વ બતાવનારું શરીરનું ચિહ્ન; અને ૨-ભાવલિંગ સ્ત્રી, પુરુષ કે સ્ત્રી-પુરુષ બન્ને ભોગવવાની અભિલાષારૂપ આત્માના વિકારી પરિણામ. નારકી અને સમૂચ્છના જીવોને દ્રવ્યલિંગ અને ભાવલિંગ બન્ને નપુંસક હોય છે.
(૨) નારકી તથા સમૂર્ચ્યુન જીવો નપુંસક જ હોય છે કેમ કે તે જીવોને સ્ત્રી-પુરુષ સંબંધી મનોજ્ઞ શબ્દનું સાંભળવું, મનોજ્ઞ ગંધનું સુંઘવું, મનોજ્ઞ રૂપનું દેખવું, મનોજ્ઞ રસનું ચાખવું કે મનોજ્ઞ સ્પર્શનું સ્પર્શવું એ કાંઈ હોતું નથી, તેથી થોડું કલ્પિત સુખ પણ તે જીવોને હોતું નથી, માટે નિશ્ચય કરવામાં આવે છે કે તે જીવો નપુંસક છે. || પા .
દેવોનાં લિંગ
ન લેવા: ૬ાા અર્થ:- [વા:] દેવો [૧] નપુંસક હોતા નથી અર્થાત્ દેવોને પુરુષલિંગ અને દેવીઓને સ્ત્રીલિંગ હોય છે.
ટીકા
(૧) દેવગતિમાં દ્રલિંગ તથા ભાવલિંગ સરખાં હોય છે.
(૨) બ્લેચ્છ ખંડના મનુષ્યો સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બે વેદને જ ધારણ કરે છે, ત્યાં નપુંસક ઊપજતા નથી. || પ૧
બીજાઓનાં લિંગ
શેષાત્રિવેવાડા ફરા અર્થ:- [ શેષ:] બાકી રહેલા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો [ત્રિ વેવા:] ત્રણે વેદવાળા છે.
ટીકા ભાવવેદના પણ ત્રણ પ્રકાર છે-૧. પુરુષવેદનો કામાગ્નિ તૃણના અગ્નિ સમાન જલદી શાંત થઈ જાય છે, ૨. સ્ત્રીવેદનો કામાગ્નિ અંગારના અગ્નિ સમાન ગુમ અને કાંઈક કાળ પછી શાંત થાય છે અને ૩. નપુંસકવેદનો કામાગ્નિ ઈંટના અગ્નિ સમાન લાંબા કાળ સુધી રહે છે. | પર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com