SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૨૬ ] [ મોક્ષશાસ્ત્ર કોનું આયુષ્ય અપવર્તન (-અકાળ મૃત્યુ ) રહિત છે ? औपपादिकचरमोत्तमदेहाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः ।। ५३ ।। અર્થ:- [ ૌપપવિ] ઉપપાદ જન્મવાળા-દેવ અને નારકી, [વરમ ઉત્તમ વેહા: ] ચરમ ઉત્તમ દેહવાળા એટલે તે ભવે મોક્ષગામીઓ તથા [ અસંધ્યેય વર્ષ આયુષ: ] અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા ભોગભૂમિના જીવોનાં [ આયુષ: અનુપવર્તિ] આયુષ્ય અપવર્તન રહિત હોય છે. ટીકા (૧) આઠ કર્મોમાં આયુષ્ય નામનું એક કર્મ છે. ભોગ્યમાન (ભોગવાતાં ) આયુષ્યકર્મનાં રજકણો બે પ્રકારનાં હોય છે–સોપક્રમ અને નિરુપક્રમ. તેમાં આયુષ્યના પ્રમાણમાં દરેક સમયે સરખા નિષેકો નિર્જરે તે પ્રકારનું આયુષ્ય નિરુપમ એટલે કે અપવર્તન રહિત છે; અને જે આયુષ્યકર્મ ભોગવવામાં પહેલાં તો સમયે સમયે સરખા નિષેકો નિર્જરતા હોય પણ તેના છેલ્લા ભાગમાં ઘણાં નિષેકો એક સાથે નિર્જરી જાય તે પ્રકારના આયુષ્યને સોપક્રમ આયુષ્ય કહેવાય છે. આયુષ્યકર્મના બંધની એવી વિચિત્રતા છે કે જેને નિરુપક્રમ આયુષ્યનો ઉદય હોય તેને સમયે સમયે સ૨ખું નિર્જરે, તેથી તે ઉદય કહેવાય છે અને સોપક્રમ આયુષ્યવાળાને પહેલાં અમુક વખત તો ઉપર પ્રમાણે જ નિર્જરે, ત્યારે ઉદય કહેવાય, પણ છેલ્લા અંતર્મુહૂર્તમાં બધાં નિષેકો ભેગાં નિર્જરી જાય, તેથી તેને ‘ઉદીરણા' કહે છે. ખરેખર કોઈનું આયુષ્ય વધતું કે ઘટતું નથી પણ નિરુપક્રમ આયુષ્યથી સોપક્રમ આયુષ્યનો ભેદ બતાવવા માટે સોપક્રમવાળા જીવોને ‘અકાલ મૃત્યુ પામ્યા' એમ વ્યવહારથી કહેવાય છે. (૨) ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ; ચરમદેહ ઉત્કૃષ્ટ હોય છે, કેમકે જે જે જીવો કેવળજ્ઞાન પામે તેમનું શરીર કેવળજ્ઞાન પ્રગટતાં પરમૌદારિક થાય છે. જે દેહે જીવો કેવળજ્ઞાન પામતા નથી તે દેહ ચરમ હોતો નથી તેમ જ પરમૌદારિક હોતો નથી. મોક્ષ જના૨ જીવને શરીર સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેવળજ્ઞાન પામતાં કેવો હોય છે તે બતાવવા આ સૂત્રમાં ચરમ અને ઉત્તમ-એવાં બે વિશેષણો વાપર્યાં છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારે તે દેહ ‘ચરમ' સંજ્ઞા પામે છે; તેમ જ ૫૨મૌદારિકરૂપ થઈ જાય છે તેથી ‘ ઉત્તમ ’સંજ્ઞા પામે છે; પણ વજ્રર્ષભનારાચસંહનન તથા સમચતુસ્રસંસ્થાનને કારણે શ૨ી૨ને ‘ઉત્તમ ’ સંજ્ઞા આપવામાં આવતી નથી. (૩) સૌપક્રમ- કદલીવાત અર્થાત્ વર્તમાન માટે અપવર્તન થતા આયુષ્યવાળાને Please inform us of any errors on [email protected]
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy