SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૪૪-૪૫ ] [ ૨૨૧ ટીકા ઉપભોગ:- ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે. (૨) વિગ્રહગતિમાં જીવને ભાવેન્દ્રિયો હોય છે. [જીઓ સૂત્ર ૧૮]; જડ ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે [જુઓ સૂત્ર ૧૭]; તે સ્થિતિમાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ ( -જ્ઞાન) થતો નથી, તેથી કાર્મણ શરીરને નિરુપભોગ જ કહ્યું છે. (૩) પ્રશ્નઃ- તૈજસ શરીર પણ નિરુપભોગ જ છે છતાં તેને અહીં કેમ ન ગણ્યું ? ઉત્તરઃ- તૈજસ શરીર તો કોઈ યોગનું પણ કારણ નથી તેથી નિરુપભોગના પ્રકરણમાં તેને સ્થાન જ નથી. વિગ્રહગતિમાં કાર્મણ શરીર તો કર્મણયોગનું કારણ છે [જુઓ, સૂત્ર ૨૫ ], તેથી તે ઉપભોગને લાયક છે કે નહિ–એ પ્રશ્ન ઊઠે. તેનું નિરાકરણ કરવા માટે આ સૂત્ર કહ્યું છે. તૈજસશરીર ઉપભોગને લાયક છે કે કેમ એ સવાલ જ ઊઠી શક્તો નથી કેમકે તે તો નિરુપભોગ જ છે, તેથી અહીં તેને લીધું નથી. (૪) જીવની પોતાની પાત્રતા (-ઉપાદાન) મુજબ બાહ્ય નિમિત્ત સંયોગરૂપ (હાજરરૂપ ) હોય છે અને પોતાની પાત્રતા ન હોય ત્યારે હાજર હોતાં નથી એમ આ સૂત્ર બતાવે છે, જ્યારે જીવ શબ્દાદિકનું જ્ઞાન કરવાને લાયક હોતો નથી ત્યારે જડ શરીરરૂપ ઇન્દ્રિયો હાજર હોતી નથી; અને જ્યારે જીવ તે જ્ઞાન કરવાને લાયક હોય છે ત્યારે જડ શરીરરૂપ ઇન્દ્રિયો-સ્વયં હાજર હોય છે એમ સમજવું. (૫) ૫૨વસ્તુ જીવને વિકારભાવ કરાવતી નથી એમ સૂત્ર ૨૫ તથા આ સૂત્ર બતાવે છે, કેમકે વિગ્રહગતિમાં સ્થૂળ શરીર, સ્ત્રી, પુત્ર વગેરે કોઈ હોતાં નથી. દ્રવ્યકર્મ જડ છે તેને જ્ઞાન નથી, વળી તે પોતાનું સ્વક્ષેત્ર છોડી જીવના ક્ષેત્રમાં જઈ શકતું નથી તેથી તે કર્મ જીવને વિકારભાવ કરાવી શકે નિહ. જ્યારે જીવ પોતાના દોષથી અજ્ઞાનદશામાં ક્ષણેક્ષણે નવો વિકારભાવ કર્યા કરે છે ત્યારે જે કર્મો છૂટા પડે તેના ઉપર ઉદયનો આરોપ આવે છે; અને જીવ જ્યારે વિકારભાવ કરતો નથી ત્યારે છૂટાં પડતાં કર્મો ( –રજકણો ) ઉ૫૨ નિર્જરાનો આરોપ આવે છે અર્થાત્ તેને ‘નિર્જરા ’ નામ આપવામાં આવે છે. ।। ૪૪|| ઔદારિક શ૨ી૨નું લક્ષણ गर्भसम्मूर्च्छनजमाद्यम् ।। ४५ ।। અર્થ:- [TÉ] ગર્ભ [સમ્પૂર્ઝનનમ્] અને સમ્મૂર્ચ્છનજન્મથી ઉત્પન્ન થતું શરી૨ [ આદ્યસ્] પહેલું-ઔદારિક શરીર કહેવાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy