________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર-ગુજરાતી ટીકા
અધ્યાય બીજો પ્રથમ અધ્યાયમાં, સમ્યગ્દર્શનના વિષયનો ઉપદેશ આપતાં શરૂઆતમાં [ અ. ૧ સૂ. ૪ માં ] જીવાદિક તત્ત્વો કહ્યાં, તેમાંથી જીવતત્વના ભાવો, તેનું લક્ષણ અને શરીર સાથેના સંબંધનું આ બીજા અધ્યાયમાં વર્ણન છે; પ્રથમ જીવના સ્વતન્ત (નિજભાવ) બતાવવા સૂત્ર કહે છે.
જીવના અસાધારણ ભાવો औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिक
पारिणामिकौ च।।१।। અર્થ- [ નીવચ] જીવના [શૌપશનિવકક્ષાયિ] ઔપથમિક અને ક્ષાયિક [ ભાવો] ભાવ [ 7 નિશ્ર] અને મિશ્ર તથા [ ગથિપારિજામિ ] ઔદયિક અને પરિણામિક એ પાંચ ભાવો [સ્વ—તવર્] નિજભાવ છે અર્થાત્ જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી.
ટીકા
(૧) પાંચ ભાવોની વ્યાખ્યા ૧. ઓપશમિકભાવ- આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થવું અર્થાત્ દબાઈ જવું તે; આત્માના આ ભાવને ઉપશમભાવ અથવા ઔપથમિકભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડ કર્મનું પ્રગટરૂપ ફળ જડકર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. આ, જીવનો એક સમય પૂરતો પર્યાય છે, તે સમય-સમય કરીને અંતર્મુહૂર્ત રહે છે પણ એક સમયે એક જ અવસ્થા હોય છે.
૨. ક્ષાયિકભાવ- આત્માના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તે ક્ષાયિકભાવ છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મઆવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. આ પણ જીવની એક સમય પૂરતી અવસ્થા છે. સમય સમય કરીને તે સાદિ અનંત રહે છે તો પણ એક સમયે એક જ અવસ્થા હોય છે. સાદિઅનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત ફળરૂપ અનંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com