________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૨૨]
[૬૭ લયોપશમનિમિત્તક અવધિજ્ઞાનના ભેદ તથા તેના સ્વામી
क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम्।।२२।। અર્થ - [ ક્ષયો શમનિમિત્ત: ] ક્ષયોપશમ-નિમિત્તક અવધિજ્ઞાન [ પવિત્વ: ] અનુગામી, અનનુગામી, વદ્ધમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત-એવા છે ભેદવાળું છે, અને તે [શેષાગાર્] મનુષ્ય તથા તિર્યંચને થાય છે.
ટીકા (૧) અનુગામી-જે અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની માફક જીવની સાથે સાથે જાય તેને
અનુગામી કહે છે. અનનુગામી-જે અવધિજ્ઞાન જીવની સાથે સાથે ન જાય તેને અનનુગામી કહે છે. વર્તમાન-જે અવધિજ્ઞાન શુક્લપક્ષના ચંદ્રની કળાની માફક વધતું રહે તેને
વદ્ધમાન કહે છે. હીયમાન-જે અવધિજ્ઞાન કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની માફક ઘટતું રહે તેને
હીયમાન કહે છે. અવસ્થિત-જે અવધિજ્ઞાન એક સરખું રહે, ન વધે-ન ઘટે, તેને અવસ્થિત કહે
છે. અનવસ્થિત-પાણીના તરંગોની માફક ઘટતું-વધતું રહે, એકસરખું ન રહે તેને
અનવસ્થિત કહે છે. (૨) મનુષ્યોને આ અવધિજ્ઞાન થાય છે એમ કહ્યું છે તેમાં તીર્થકરો ન લેવા, બીજા
મનુષ્યો સમજવા; તે પણ બહુ થોડા મનુષ્યોને થાય છે. આ અવધિજ્ઞાનને ગુણપ્રત્યય” પણ કહેવામાં આવે છે. તે નાભિની ઉપર શંખ, પદ્મ, વજ,
સ્વસ્તિક, કલશ, માછલાં આદિ શુભ ચિહ્ન દ્વારા થાય છે. (૩) અવધિજ્ઞાનના * પ્રતિપાતિ, અપ્રતિપાતિ, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ
એવા ભેદો પણ પડે છે. (૪) જઘન્ય દેશાવધિ સંયત તથા અસંયત મનુષ્યો અને તિર્યંચને થાય છે; (દેવ
નારકીને થતું નથી) ઉત્કૃષ્ટ દેશાવધિ સંયત ભાવમુનિને જ થાય છે, અન્ય તીર્થંકરાદિક ગૃહસ્થ-મનુષ્ય, દેવ, નારકીને નહીં; તેમને દેશાવધિ થાય છે.
* પ્રતિપાતિ=પડી જાય તેવું x અપ્રતિપાતિ = ન પડે તેવું. જઘન્ય સૌથી થોડું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com