SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો] [ ૨૪૫ અભિપ્રાય અનુસાર પ્રરૂપણ વિષે બે નય બને છે, પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ નથી. “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની ” –એમ શ્રી સમયસારમાં કહેલ છે. ત્યાં તો આત્માની શુદ્ધ પરિણતિને અભેદ કરીને કહેલ છે; પણ અહીં તો એમ કહેવું છે કે જુદા જુદા દ્રવ્યની પરિણતિ જુદી જાદી છે, છતાં એકની પરિણતિને બીજાની પરિણતિ કહેવી તે વ્યવહારનય છે. પરની પરિણતિને આત્મા રાખતો નથી; પણ પરની પરિણતિ આત્મા રાખે છે એમ કહેવું તે વ્યવહારનય છે. માટે જેમ છે તેમ સમજવું જોઈએ. કથન કરવું તે વ્યવહારનય છે પણ પ્રવૃત્તિ તે વ્યવહારનય નથી. એ વાતને અહીં સિદ્ધ કરે છે. આત્મા જડની પ્રવૃત્તિ પ્રવર્તે છે-એમ ચરણાનુયોગમાં કથન આવે છે તે વ્યવહારનયનું કથન છે, પણ વસ્તુનું એવું સ્વરૂપ નથી. કથનની પદ્ધતિ એવી હોય છે કે જડની પરિણતિથી આત્માની પરિણતિ સુધરે છે; કેમ કે કોઈને એવી પ્રવૃત્તિમાં આત્માની પરિણતિ મંદકષાયરૂપ હોય છે; માટે નિમિત્તનું કથન છે કે આત્મા એ પ્રવૃત્તિને કરે છે. નિશ્ચયથી બાહ્ય પ્રવૃત્તિ તો જડની છે, અને રાગની પરિણતિ તે આત્માની છે. માટે કથનમાં બે નય પડે છે, પણ પ્રવૃત્તિમાં નય નથી. આત્માનાં દ્રવ્ય-ગુણમાં તો વિકાર નથી, અને પર્યાયમાં વિકાર આવ્યો તે ક્યાંથી આવ્યો? તો કહે કે કર્મના કારણે આવ્યો. તો ત્યાં તેમ જ સત્ય માની લે તો તે નયને સમજતો નથી. કર્મની અવસ્થા તે પુદગલની છે, એમ કહેવું તે નિશ્ચય છે, અને તેનાથી આત્મામાં વિકાર થયો એમ કહેવું તે વ્યવહારનય છે. આમ બન્ને નયને જાણવા તે યથાર્થ છે, પણ બન્ને નયને આદરણીય માનવા તે ભ્રમણા છે. નિશ્ચયને ઉપાદેય અને વ્યવહારને હેય માનવો તે બન્ને નયનું શ્રદ્ધાન છે. પ્રશ્ન: તો કરીએ? ઉત્તર- નિશ્ચય વડે જ નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy