SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪] [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આત્મામાં વીતરાગરૂપ પરિણતિ થાય છે તે નિશ્ચય છે અને રાગાદિની પર્યાય છે તે વ્યવહાર છે. નિશ્ચયની નિશ્ચયરૂપ અને વ્યવહારની વ્યવહારરૂપ શ્રદ્ધા કરવી તે બન્નેનું ગ્રહણ છે; પણ એક નયને માને અને બીજા નયને ન માને તો તે એકાંત મિથ્યાષ્ટિ છે; અને વ્યવહારથી નિશ્ચયમાં કાંઈ કામ થાય છે એમ માને તે પણ મિથ્યાદષ્ટિ છે. હવે કહે છે કે પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન જ નથી; કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. ત્યાં જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચયનય; તથા તેને જ અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહારનય. એ પ્રમાણે અભિપ્રાય અનુસાર પ્રરૂપણથી તે પ્રવૃત્તિમાં બન્ને નય બને છે; પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ નથી. જડની પરિણતિ અને રાગની પરિણતિને જાણવી તે વ્યવહારનયા છે. મોરપીંછી આદિની ક્રિયા થાય છે તે જડની પરિણતિ છે. આત્મા અને કરે છે એમ કહેવું તે વ્યવહાર છે. આત્મા તેને કરી શકે છે એમ નથી. મુનિ નિર્દોષ આહાર લે છે ને સદોષ આહારને છોડે છે-એમ કહેવું તે વ્યવહાર છે; પણ વ્યવહારથી આત્મા નિર્દોષ આહાર ગ્રહણ કરે છે અને સદોષ આહારને છોડ છેએમ નથી. આત્મા કર્મને બાંધે છે અને છોડે છે એમ કહેવું તે વ્યવહારનું કથન છે; પણ ખરેખર તે તો જડની પર્યાય છે, આત્માની નથી. આત્મા એને કરી શકતો નથી. છતાં આત્મા જડની પ્રવૃત્તિ કરી શકે છે એમ માનવું તે એકાંત મિથ્યાત્વ છે. ચાલવાની ખાવાની બોલવાની આદિ પરિણતિ તો જડની છે, આત્માની નથી. તે પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન નથી, પણ તે પ્રવૃત્તિને આત્માની કહેવી તે વ્યવહારનય છે. અને તેને જડની પ્રવૃત્તિ કહેવી તે નિશ્ચયનય છે. પ્રવૃત્તિ કરવી તે વ્યવહારનય નથી. જે એક દ્રવ્યની ક્રિયાને બીજા દ્રવ્યની ક્રિયામાં મેળવે છે, એને ભિન્ન ભિન્ન દ્રવ્યની પણ શ્રદ્ધા નથી. અજ્ઞાનીને આ વાતની ખબર નથી એટલે આ વાત સાંભળતાં એને એમ લાગે છે કે અમે સીધા રસ્તે ચાલ્યા જતા હતા તેમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એમ કહીને તમોએ ડખો નાખ્યો એમ તેને લાગે છે. અજ્ઞાની માને છે કે જડની પ્રવૃત્તિ આત્માથી થાય છે. તે એકાંત મિથ્યાદષ્ટિ છે. પુદગલની પરિણિત એના કારણે થાય છે એમ જાણવું તે નિશ્ચયનય છે અને આત્માએ એને કરી એમ કહેવું તે વ્યવહારનયનું કથન છે. આ રીતે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy