SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધિકાર સાતમો ] [૨૪૩ આપતા નથી. તેમ જ્ઞાની આત્માની રુચિપૂર્વક જેટલો વીતરાગ-શુદ્ધ ભાવ થયો છે તેની કિંમત આપે છે, પણ વ્રતાદિનો જે રાગ થાય છે એની કિંમત આપતા નથી. શુભરાગ તો કથીર-તાંબા જેવો છે, એ સોનું નથી. સોનું તો ચૈતન્યની રાગરહિત શુદ્ધ-અવસ્થા થઈ છે તે છે. ભગવાનના માર્ગમાં તો શુદ્ધ ધર્મની ક્રિયાની કિંમત છે. રાગ તે મોક્ષમાર્ગની ક્રિયા નથી, તે તો કથીર જેવો છે. લીંબોળી તે નીલમણિ નથી. બાળકો લીંબોળીને નીલમણિ માને તેથી કરીને કાંઈ લીંબોળી નીલમણિ થાય નહિ; એની કોઈ કિંમત આપે નહિ. તેમ આત્મામાં રાગની પર્યાય થાય છે તે લીંબોળી જેવી છે. અજ્ઞાની એને મોક્ષમાર્ગરૂપી નીલમણિ માને પણ તે મોક્ષમાર્ગ નથી. જ્ઞાની એની કિંમત આપતા નથી. માટે વ્યવહાર મોક્ષમાર્ગ તે બંધમાર્ગ છે–એમ સમજવું. * વી૨ સં. ૨૪૭૯ ચૈત્ર વદ ૧૪ રવિવા૨ તા. ૧૨-૪-૫૩ મોક્ષમાર્ગ બે નથી પણ એક જ છે. એ વાત ચાલે છે. આત્માનાં શ્રદ્ધા જ્ઞાન, રમણતા તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, એમાં વચ્ચે નિમિત્ત શુભભાવ છે, એને વ્યવહા૨થી મોક્ષમાર્ગ કહેલ છે, પણ તે ખરેખર મોક્ષમાર્ગ નથી. પ્રવૃત્તિ નયરૂપ નથી. અભિપ્રાય-અનુસાર પ્રરૂપણથી પ્રવૃત્તિમાં બન્ને નય બને છે પ્રશ્ન:- શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ છીએ. એ રીતે અમે બન્ને નયોને અંગીકાર કરીએ છીએ. ઉત્ત૨:- એમ પણ બનતું નથી; કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારૂરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. માટે અજ્ઞાની નિશ્ચયની શ્રદ્ધા રાખવી અને વ્યવહારની પ્રવૃત્તિ રાખવી-એમ બે નયનું ગ્રહણ કરવું કહે છે; તે વાત ખોટી છે. આત્માની શુદ્ધ પ્રતીતિ, એનું વેદન અને લીનતા તે એક જ મોક્ષપંથ છે. વ્રતાદિનાં શુભભાવને મોક્ષમાર્ગ માનવો તે મિથ્યાત્વ છે. ત્યારે અજ્ઞાની કહે છે કે-અમે એકની શ્રદ્ધા કરીએ અને એકની પ્રવૃત્તિ કરીએ. તો તે વાત પણ ખોટી છે; કેમકે શ્રદ્ધા તો બન્ને નયની કરવી જોઈએ. બન્ને નય છે એમ જાણવું જોઈએ, પણ આદરણીય તો એક નિશ્ચયનય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008266
Book TitleMoksh marg prakashak kirano Part 2
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy