________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કરે તો તેના અભાગ્યનો મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને સમતા આવે. કહ્યું છે કે
साहीणे गुरूजोगे जे ण सुणतीह धम्मवयणाई। जे धिट्ठदुट्ठचित्ता अह सुहडा भवभयविहुणा।।
અર્થ- સ્વાધીન ઉપદેશદાતા ગુરુનો યોગ મળવા છતાં પણ જે જીવ ધર્મ-વાક્યોને નથી સાંભળતો તે ધીઠ અને દુષ્ટચિત્ત છે. અથવા જે સંસારભયથી શ્રી તીર્થંકરાદિક ડર્યા તે સંસારભયથી જે રહિત છે તે મોટો સુભટ છે. વળી પ્રવચનસારમાં જ્યાં “મોક્ષમાર્ગ અધિકાર” કહ્યો ત્યાં પણ પ્રથમ આગમજ્ઞાન જ ગ્રહણ કરવા યોગ્ય કહ્યું છે. માટે આ જીવનું તો મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોને શ્રદ્ધાન થાય છે, તત્ત્વશ્રદ્ધાન થતાં સયંમભાવ થાય છે અને તે આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે, જેથી સહુજ મોક્ષની પ્રાપ્તિ થાય છે, ધર્મના અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન વિના આનાથી ઊંચું અન્ય કોઈ ધર્મનું અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે. વળી આ ગ્રંથનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તે. એથી તમારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથમાં પીઠબંધ પ્રરૂપક
પ્રથમ અધિકાર સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com