________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર બીજો
સંસારઅવસ્થા નિરૂપણ
કર્મબંધનરોગનું નિદાન
મિથ્યાભાવ અભાવથી, જે પ્રગટે નિજભાવ; તે જયવંત રહો સદા, એહી જ મોક્ષ ઉપાય.
હવે આ ગ્રંથમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરીએ છીએ. ત્યાં બંધનથી છુટવું તેનું નામ મોક્ષ છે. આ આત્માને કર્મબંધન (અનાદિકાળથી) છે, તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે, દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી તથા સહ્યું પણ જતું નથી અને તેથી જ આ જીવ વ્યાકુલ થઈ રહ્યો છે. એ પ્રમાણે જીવને સમસ્ત દુઃખનું મૂળ કારણ કર્મબંધન છે, તેના અભાવરૂપ મોક્ષ છે અને એ જ પરમ હિત છે. વળી સાચો ઉપાય કરવો એ જ કર્તવ્ય છે માટે તેનો જ અહીં તેને ઉપદેશ આપીએ છીએ. હવે જેમ વૈધ રોગ સહિત મનુષ્યને પ્રથમ તો રોગનું નિદાન બતાવે કે-આ પ્રમાણે આ રોગ થયો છે, તથા એ રોગના નિમિત્તથી તેને જે જે અવસ્થા થતી હોય તે બતાવે જેથી તેને નિશ્ચય થાય કે મને એવો જ રોગ છે. વળી એ રોગને દૂર કરવાનો ઉપાય અનેક પ્રકારે બતાવે અને એ ઉપાયની તેને પ્રતીતિ અણાવે એટલું તો વૈદ્યનું કામ છે તથા જો તે રોગી તેનું સાધન કરે તો રોગથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે; એ રોગીનું કર્તવ્ય છે. એ જ પ્રમાણે અહીં કર્મબંધનયુક્ત જીવને પ્રથમ તો કર્મબંધનનું નિદાન દર્શાવીએ છીએ કે-આ પ્રમાણે કર્મબંધન થયું છે. વળી એ કર્મબંધનના નિમિત્તથી તેને જે જે અવસ્થા થાય છે તે દર્શાવીએ છીએ કે જે વડે જીવને નિશ્ચય થાય કે મને એજ પ્રમાણે કર્મબંધન છે. તથા એ કર્મબંધનથી દૂર થવાનો ઉપાય અનેક પ્રકારે બતાવીએ છીએ અને તે ઉપાયની તેને પ્રતીતિ અણાવીએ છીએ; એટલો તો શાસ્ત્રનો ઉપદેશ છે. હવે આ જીવ તેનું સાધન કરે તો કર્મબંધનથી મુક્ત થઈ પોતાના સ્વભાવરૂપ પ્રવર્તે, એ જીવનું કર્તવ્ય છે. તેથી અહીં પ્રથમ જ તેને કર્મબંધનનું નિદાન બતાવીએ છીએ.
કર્મનો સંબંધ અનાદિકાળથી છે
કર્મબંધન હોવાથી નાના પ્રકારના ઔપાધિકભાવોમાં જીવને પરિભ્રમણ-પણું હોય છે, પણ એકરૂપતા રહેતી નથી. માટે કર્મબંધન સહિત અવસ્થાનું નામ સંસારઅવસ્થા છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com