SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ તત્વાર્થસૂત્ર શ્રી ઉમાસ્વામી વિરચિત સાકાર અને નિરાકાર જ્ઞાનને સાકાર અને દર્શનને નિરાકાર કહેવામાં આવે છે, ત્યાં “આકાર' નો અર્થ લંબાઈ-પહોળાઈ અને જાડાઈ ' એમ થતો નથી, પણ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને આકાર કહેવામાં આવે છે. અમૂર્તિક આત્માનો ગુણ હોવાથી જ્ઞાન પોતે ખરી રીતે અમૂર્ત છે. જે પોતે તો અમૂર્ત હોય અને વળી દ્રવ્ય ન હોય, માત્ર ગુણ હોય તેને પોતાનો જુદો આકાર હોય શકે નહિ; પોતપોતાના આશ્રયભૂત દ્રવ્યનો જે આકાર હોય તે જ આકાર ગુણનો હોય છે. જ્ઞાનગુણનો આધાર આત્મદ્રવ્ય છે તેથી આત્માનો જે આકાર તે જ જ્ઞાનનો આકાર છે, આત્મા ગમે તેવા આકારના પદાર્થને જાણે તોપણ આત્માનો આકાર તો (સમુદ્યાત સિવાયના પ્રસંગે) બહારના શરીરાકારે રહે છે, તેથી વાસ્તવિક રીતે શેય પદાર્થના આકારે જ્ઞાન થતું નથી પણ આત્માના આકારે જ્ઞાન રહે છે; પણ શેય પદાર્થ જેવો છે તેવો જ્ઞાન જાણી લે છે તેથી જ્ઞાનનો આકાર કહેવાય છે. (તસ્વાર્થ સૂત્ર પેઈજ નં-૩૦૮-૩૦૯) પંચાધ્યાયી ભાગ-૨, ગાથા ૩૯૧ માં આકારનો અર્થ નીચે પ્રમાણે કહ્યો છે. अर्थाकारो आकारोर्थ विकल्प स्यादर्थः स्वपर गोचरः। सोपयोगो विकल्पो वा ज्ञान स्यैतद्वि लक्षणम।। અર્થ:- અર્થ વિકલ્પને આકાર કહે છે, સ્વ-પર પદાર્થને અર્થ કહેવામાં આવે છે. ઉપયોગ અવસ્થાને વિકલ્પ કહે છે અને તે જ્ઞાનનું લક્ષણ છે. ભાવાર્થ- આત્મા અથવા બીજા પદાર્થોનું ઉપયોગાત્મક ભેદ-વિજ્ઞાન થવું તેને જ આકાર કહે છે. પદાર્થોના ભેદભેદને માટે થયેલા નિશ્ચયાત્મક બોધને જ આકાર કહે છે અર્થાત્ પદાર્થોનું જાણવું તે જ આકાર કહેવાય છે અને તે જ્ઞાનનું સ્વરૂપ છે. આકાર સંબંધી વિશેષ ખુલાસો જ્ઞાન અમૂર્તિક આત્માનો ગુણ છે, તેમાં શેય પદાર્થનો આકાર ઊતરતો નથી. માત્ર વિશેષ પદાર્થ તેમાં ભાસવા લાગે છે. તેને આકૃતિ માનવી એ મતલબ છે. સારાંશ- જ્ઞાનમાં પર પદાર્થની આકૃતિ વાસ્તવિક રીતે માની શકાય નહીં, પરંતુ જ્ઞાન-શેયના સંબંધના કારણે શેયનો આકૃતિ ધર્મ ઉપચારનું કારણ એટલું જ સમજવું કે પદાર્થોની વિશેષ આકૃતિ નક્કી કરનાર જે ચૈતન્ય પરિણામ છે તે જ્ઞાન કહેવાય છે પણ તે પદાર્થના વિશેષ આકાર તુલ્ય જ્ઞાન સ્વયં થઈ જાય છે એવો સાકારનો અર્થ નથી. (મોક્ષશાસ્ત્ર અધ્યાય-૨) વિકલ્પ- અર્થસ્વ અને પર વિષય; વિકલ્પ- વ્યવસાય; અર્થ વિકલ્પ- સ્વ-પર વ્યવસાયાત્મક જ્ઞાન, એ જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. [ ગાથા ૬૬૬ ની ફૂટનોટ]
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy