________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૨]. બૌદ્ધગુરુ (૧) : મહારાણીજી! તમે જાણો છો કે શ્રેણીક
મહારાજા પણ બૌદ્ધધર્મના ભક્ત છે. જો તમે બૌદ્ધધર્મ સ્વીકારશો તો શ્રેણીક મહારાજા તમારા ઉપર બહુ પ્રસન્ન થશે. અને રાજ્યની તમામ સત્તા તમારા જ હાથમાં
રહેશે ! ચલણાઃ અરે, શું રાજસત્તા ને ખાતર હું મારા જૈનધર્મને છોડું?
-એ વાત કદી બનવાની નથી. અભયઃ અરે, મહારાજ! આ રાજ્ય તો શું, પણ ત્રણલોકનું
સામ્રાજ્ય મળતું હોય તો પણ અમારા જૈનધર્મ પાસે તે તુચ્છ છે ત્રણલોકનું રાજ્ય પણ અમને જૈનધર્મથી
ડગાવવા સમર્થ નથી. બૌદ્ધ (૧) : મહારાણીજી ! અમે જાણીએ છીએ કે તમે મહા
ચતુર અને બુદ્ધિમાન છો. જો આપના જેવા સમર્થ જૈનધર્મને છોડીને અમારા અનુયાયી બને તો આખા દેશમાં અમારી કીર્તિ ફેલાઈ જાય. માટે રાણીજી! તમે ચેતો... અને અમારી સલાહ માનીને બૌદ્ધધર્મ સ્વીકારો, એમાં જ તમારું હિત છે. જો બૌદ્ધધર્મ નહિ સ્વીકારો તો
તમારા ઉપર ભયંકર આફત આવી પડશે! ચેલણાઃ અરે, શું તમે મને ભયથી મારો ધર્મ છોડાવવા માંગો
છો!! આવી તુચ્છબુદ્ધિ તમે કયાંથી લાગ્યા? જૈનધર્મના ભક્તો કેવા નિઃશંક અને નિર્ભય હોય છે તેની હજી તમને ખબર નથી... સાંભળો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com