________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
-: નિવેદનઃતત્ત્વજિજ્ઞાસુને સુગમતાથી જૈન સિદ્ધાંતમાં પ્રવેશ થઈ શકે એવી ભાવનાથી આ લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા શાસ્ત્રાધારપૂર્વક બનાવી છે.
તેમાં સ્વ. પં. ગોપાળદાસજી બરૈયા કૃત જૈન સિ. પ્રવેશિકા, છ ઢાળા, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, વિદ્વજ્જનબોધક, મોક્ષમાર્ગપ્રકાશક, બનારસીવિલાસ, પંચાધ્યાયી, સ0 સાર નાટક, ત, સૂત્ર, ગો, સાર આદિ ગ્રંથોનો આધાર લીધો છે. સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોને સમ્યકપ્રકારે જાણવાનો અભ્યાસ કરવાથી સાચું સમાધાન થાય છે માટે સત્યધર્મના જિજ્ઞાસુઓએ આ પ્રવેશિકાનો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. વીર સં. ૨૪૭૮
રામજી માણેકચંદ દોશી, પ્રમુખ શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com