________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૩૯)
૫૫ પ્ર. ઉત્પાદ કોને કહે છે?
ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ
કહે છે.
૫૬ પ્ર. વ્યય કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. ૫૭ પ્ર. ધ્રૌવ્ય કોને કહે છે ?
ઉ. પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ અવસ્થાની નિત્યતાને ધ્રૌવ્ય કહે છે.
૫૮ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. વ્યંજન પર્યાય અને અર્થપર્યાય એમ બે
ભેદ છે.
૫૯ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પ્રદેશત્વગુણ (પરિણમનને ) વ્યંજનપર્યાય કહે છે.
ના વિકાસને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com