________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૩૫) ઉ. બે ભેદ છે. નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. ૪૩ પ્ર. નિશ્ચયકાળ કોને કહે છે?
ઉ. કાળદ્રવ્યને નિશ્ચયકાળ કહે છે. લોકાકાશના એકેક પ્રદેશ ઉપર એકેક કાળદ્રવ્ય (કાલાણુ ) સ્થિત છે. ૪૪ પ્ર. વ્યવહા૨કાળ કોને કહે છે?
ઉ. વર્ષ, મહિના, દિવસ, ઘડી, પળ વગેરેને વ્યવહારકાળ કહે છે. (તે કાળદ્રવ્યની પર્યાય છે.) ૪૫ પ્ર. જીવાદિદ્રવ્ય કેટકેટલાં છે અને કયાં રહે છે?
ઉ. જીવ દ્રવ્ય અનંતાનંત છે અને સમસ્ત લોકાકાશમાં ભરેલાં છે. જીવ દ્રવ્યથી અનંતગુણા અધિક પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંપૂર્ણ લોકમાં ભરેલાં છે. ધર્મ અને અધર્મદ્રવ્ય એકેક છે અને સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com