________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૨૨)
[ વિશ્વ-સમસ્ત પદાર્થો-દ્રવ્ય, ગુણ, પર્યાય.]
(પ્રવચનસાર ગા. ૧૨૪ની ફુટનોટ ) છ દ્રવ્યનાં નામ-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. સદાય આ છ દ્રવ્ય જ વિશ્વ છે. તેમાંથી કદી ઓછાં વધતાં થતાં નથી. ૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે?
ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ૨ પ્ર. ગુણ કોને કહે છે?
ઉ. જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને તેની સર્વ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહે છે. ૩ પ્ર. પર્યાય કોને કહે છે?
ઉ. ગુણોના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com