________________
૭૮
કલશામૃત ભાગ-૫ અવિનાશી ચીજની એને ખબર ન મળે. આમ જોવે, નજર કરે ત્યાં. અરે...! આ તો કાંઈ ન મળે, હાય.. હાય..! હવે પૂછવાનું કોને) ? કે, અમારે પાછળથી શું કરવું ? પણ ઈ કયાં ગયો એનું પૂછ્યું ? પણ એની સ્થિતિની દશા કેવી હતી એના કારણે ક્યાં જન્મ્યો અને કેવા અવતારે ગયો એનું કોઈએ જોયું ? એ મરીને નરકે ગયો કે ઢોરમાં ગયો છે એને ક્યાં પડી છે ? એને તો વર્તમાન પોતાની સગવડતાનું સાધન – મજૂર હતો ઈ સગવડતામાંથી ગયો એને રોવે છે. ઈ મરીને ઢોરમાં ગયો કે ક્યાં ગયો) ઈ એને ક્યાં સપનામાં ન્હાવું છે ? એ.ઈ....! આવી વાતું છે, બાપુ આહાહા...!
‘દ્રવ્યાન્તર દ્વારા...” શું કીધું ? (પરેડ) છે ને ? ભગવાન આત્મા શાશ્વત વસ્તુ છે એનું જ્યાં અંતરમાં સમ્યગ્દર્શન થયું – સત્ય દર્શન થયું એવા ધર્મીને, કોઈ દ્રવ્યાન્તર (એટલે) અનેરા દ્રવ્ય રહે તો હું રહું એવો ભય એને હોતો નથી. દ્રવ્યાન્તર (એટલે) પોતાના દ્રવ્ય સિવાય અનેરી વસ્તુથી રહે એ ચીજ છે નહિ. આહા..હા...! ભાઈ ! આવી વાતું, લ્યો ! (દ્રવ્યાન્તરથી) “શી રક્ષા કરવામાં આવે ?'
ભાવાર્થ આમ છે કે – બધા જીવોને એવો ભય ઉત્પન્ન થાય કે મારો રક્ષક કોઈ છે કે નહીં... અરે...! મને કોણ રાખે ? છોકરાઓ પણ નહિ). આહા..હા..! પૈસાના ઢગલા કર, એવું એક ઠેકાણે આવે છે. પાપ કરીને (કમાયેલા) પૈસાના ઢગલા કર ત્યાં. મરતાં ઢગલો કરી માગ, પ્રાર્થના કર (કે), મેં તારે માટે જિંદગી ગાળી (તો) તું અત્યારે કંઈક રક્ષા તો કર. આહા..હા..! એવું શ્વેતાંબર શાસ્ત્ર “સૂયગડાંગમાં આવે છે. એવી વૈરાગ્યની વાતું તો એનામાં હોય પણ દૃષ્ટિમાં ફેર છે. પૈસાના) મોટા ઢગલા કર્યા ! આ..હા..!
પેલો “સીકંદર' નહિ ? અબજો રૂપિયા લૂંટી ઘૂંટીને ભેગા કર્યા ! મરતાં હાથ ઉઘાડા. કરીને કહે છે), હું જાઉં છું. મારી પાસે –સાથે) કાંઈ આવતું નથી. મારા વરખાસન ખાનારા હકીમો ઊભા રહો, મને તમે રાખી શક્યા નથી. અબજો રૂપિયા ! પછી કહ્યું, ‘મારો જનાજો એ હકીમોને ખંભે ઉપડાવજો મારા વરખાસન ખાધા પણ મને રાખ્યો નહિ તો આ જનાજો ઉપડાવજો, એટલું તો કરજો ! આહાહા...!
અહીં તો કહે છે, પ્રભુ આત્મા ! આહા..હા...! મારો કોઈ રક્ષક છે કે નહિ ? એવો ભય સમ્યદૃષ્ટિ જીવને હોતો નથી. આહા...હા...! કારણ કે તે એવો અનુભવ કરે છે કે...” આ..હા...હા...! ધર્મી જીવ કે જેણે આત્માના જ્ઞાન કર્યા છે. આહા...હા..! આત્મજ્ઞાન જેણે કર્યું છે, આત્માનું જ્ઞાન કર્યું છે... આહાહા..! તે એમ અનુભવે છે કે, “શુદ્ધ જીવસ્વરૂપ સહજ જ શાશ્વત છે;...”
મારો પવિત્ર પ્રભુ ભગવાન ! ત્રિકાળી વસ્તુ સ્વભાવિક જ શાશ્વત છે. એને કોઈ રાખે તો રહે એવી એ કોઈ ચીજ છે નહિ. આહા..હા...! આ નિર્જરા અધિકાર છે. ધર્મીજીવને પોતાના આત્માની શાશ્વત ચીજના આશ્રયથી જે વેદન થયું એમાં એને થયું કે, આ તો