________________
કળશ-૧૫૬
પુણ્ય અને પાપના ફળમાં તારી નજરું ! તને મિથ્યાત્વની નજરબંધી થઈ ગઈ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અહીં તો આવા વેવના’(શબ્દ આવ્યો એના) ઉ૫૨થી જરી આવ્યું.
જીવને એક વેદના છે, નિશ્ચયથી;...' છે ? ‘અન્યાાતવેદ્રના વન ભવેત્ ‘આને છોડીને જે અન્ય કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના...' જોયું ? સંયોગની વાત ન લીધી. અંદર સુખ-દુઃખનું વેદન છે એ એને નથી એમ અહીં તો કહે છે. દૃષ્ટિની પ્રધાનતાથી (કથન) છે ને ? આહા..હા...! સુખ-દુઃખની કલ્પના છે ને ? એનું એને વેદન નથી એમ કહે છે. કા૨ણ કે એ પુદ્ગલસ્વરૂપ છે, એ મારી જાત નથી. આહા..હા...! મારી નાતની એ ચીજ નહિ. આહા..હા...! પુણ્ય અને પાપના ભાવ એ મારી જાતની ચીજ નહિ. આ..હા...! એ તો કજાત છે.
૬૫
આ..હા...! આને છોડીને જે અન્ય...’ પેલામાં એમ લીધું છે, ભાઈ ! અન્યમાં પુદ્ગલ આકા૨ વસ્તુ એમ લીધું. સંસ્કૃત ટીકામાં (એમ લીધું છે). પુદ્ગલ આકાર ! સંસ્કૃત ટીકા ! પુદ્ગલ આકાર એ રાગાદિ પુદ્ગલ આકાર (છે), મારું સ્વરૂપ નહિ. શરીર, વાણી, મન અને જડ પૈસા એ તો ક્યાંય બહાર રહી ગયા પણ અંદરમાં કોઈ પુણ્ય ને પાપનો ભાવ આવે અથવા સુખ-દુઃખની કલ્પના (થાય) ઈ પુદ્ગલનો ભાવ (છે), મારો નહિ. આ...હા..હા...! અહીંથી માણસને ક્યાં જાવું ? ભાઈ ! બહારની નોકરી(માં) આઠ હજારનો પગા૨ હોય તો જાણે ઓ...હો..હો...! (થઈ જાય). ધૂળ છે બધી !
મુમુક્ષુ :
ધૂળ હોય તો શાક આવે નહિ તો શાક વગરનો કોરો રહી જાય. ઉત્તર ઃ– શાકના રજકણો પણ... એ નથી કહ્યું ? ખાનારનું દાણે દાણે નામ છે. સાંભળ્યું છે ? એનો અર્થ શું છે ? કે, જે રજકણો ત્યાં આવવાના ઈ આવવાના, નહિ આવવાના નહિ આવવાના, તારા પ્રયત્નથી આવે એ વાતમાં કાંઈ માલ નથી. આવે છે ને ? શું? ખાના૨નું દાણે દાણે નામ છે. એટલે શું ? ત્યાં નામ લખ્યું છે ? એ રજકણો જે ત્યાં આવવાના છે એ એને કારણે આવશે, તારે કારણે નહિ.
(અહીંયાં કહે છે) આને છોડીને જે અન્ય કર્મના ઉદયથી થઈ છે સુખરૂપ અથવા દુઃખરૂપ વેદના તે, જીવને છે જ નહિ.' અહીંયાં સ્વરૂપની મુખ્યતાની વાત લીધી છે ને ? સમજાણું ! જ્ઞાન કેવું છે ?” (અર્થાત્) અંદર ભગવાનઆત્મા કેવો છે ? શાશ્વત છે એકરૂપ છે.’ એટલે અનેક રાગાદિપણે એ છે નહિ. એકરૂપ જ્ઞાનાનંદ સહજાત્મસ્વરૂપ ભગવાન (છે). સહજાત્મ પેલા સ્વામીનારાયણના છે એ નહિ, હોં ! આ તો સહજાત્મસ્વરૂપ સ્વભાવિક આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. આહા..હા...! એ એકરૂપ છે. એકરૂપ છે ! આહા..હા...! સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ એકરૂપ ચૈતન્ય ઉપ૨ છે. તેથી એકનું જ એને વેદન છે. સમજાણું કાંઈ ? આહા..હા...!
પછી થોડી લાંબી વાત છે, વિશેષ કહેશું... શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
—