________________
૪૪
કલામૃત ભાગ-૫
અહીંયાં આટલી વ્યાખ્યા શેની ચાલે છે ? “
વિત્નો કર્યા નિર્વિજત્વ આ..હા..! “વત્ત એટલે નિર્વિકલ્પ અભેદ વસ્તુ. વર્તમાન પર્યાયનો અંશ છે ઈ ભેદ પણ જેમાં નથી. આહા...હા...! ચૈતન્યસૂર્ય. ચૈતન્યસૂર્ય ! જિનચંદ્ર ! વીતરાગી શાંતિનો સાગર પ્રભુ ! એ નિર્વિકલ્પ છે, એકરૂપ અભેદ છે. ‘એક’ની વ્યાખ્યા પછી કરશે. સમજાણું કાંઈ ? આવું આત્માનું સ્વરૂપ ! આહા! એ “વે છે. અંદર એ નિર્વિકલ્પ વસ્તુ છે, અભેદ છે.
ચિહ્નો સ્વયં પર્વ તોતિ ’ આહાહા....! એ “જ્ઞાનસ્વરૂપ આત્માને....” જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન નહિ. અંદર જે જાણવાનો સ્વભાવ છે) એ ત્રિકાળી સ્વભાવ (છે), એ જાણન શક્તિને “આત્માને સ્વયમેવ દેખે છે. એ જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્માને જ્ઞાન પોતે દેખે છે. “
નોતિ ! ચિલોકને નોતિ’ ! લોકને નોતિને આનંદ, જ્ઞાનને જ્ઞાનથી જાણે છે. આહાહા...! આવી વાતું હવે...! એમાં “મુંબઈ જેવી નગરી ! આખો દિ' હોળી સળગતી હોય ! ધમાલ.... ધમાલ... ધમાલ.... ધમાલ.... પાપના પોટલા! એમાં આવી વાત (સમજવી) ! બિચારાને કાને પડે નહિ, શું કરે ? પૈસા પાંચ-પચાસ લાખ, કરોડ-બે કરોડ ભેગાં કર્યા હોય.. આહા..હા..! પણ એ કંઈ તારી ચીજ નથી. પૈસા તારી ચીજ નથી, એ પૈસા તારામાં નથી અને પૈસામાં તું નથી. તું જ્યાં છે ત્યાં પૈસા નથી અને જ્યાં પૈસા છે ત્યાં તું નથી. આહા...હા...!
ભગવાનઆત્મા ! અહીં તોતિ’ શબ્દ પડ્યો છે ને ? “વિત્નોર્વ સ્વયં પર્વ તોતિ ’ એ “જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વયમેવ....... સ્વયં જ, એમ કહેવું છે). “સ્વયં પ્રવ” શબ્દ પડ્યો છે ને ? ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! જ્ઞાનચંદ્ર ! શીતળતા – જ્ઞાનનો શીતળ સાગર ભગવાન ! એને – “આત્માને સ્વયમેવ....” એ શબ્દ છે. (અર્થાતુ) પોતે જ પોતાને દેખે, જાણે છે. પોતે જ પોતાને જાણે છે એમ કહે છે. આહા...હા..! અહીંયાં પરને નહિ. “સ્વયમેવ..” એમ શબ્દ છે ને ? સ્વયમેવ એટલે ? સ્વયં જ. વિ' શબ્દ પડ્યો છે. ભઈ ! આ તો અધ્યાત્મભાષા છે ! બાપા ! આ કંઈ વાર્તા-કથા નથી. આ તો ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ બન્યા એ કહે છે કે, તું જિનચંદ્ર છો ! ભાઈ ! તું જો જિનચંદ્ર ન હો તો પર્યાયમાં જિનચંદ્રપણું આવશે ક્યાંથી ? આહા..હા...! સમજાણું કાંઈ ?
એ પોતે પોતાને સ્વયમેવ – સ્વયં જ. સ્વયં જ (એટલે કે) પરની સહાય વિના, રાગ વિના, પરની સહાય વિના પોતાના આત્માને સ્વયં જ – પોતે જ દેખે છે. આહા...હા...! આનું નામ સમ્યક્દષ્ટિ અને ધર્મી કહીએ. ભારે શરતું ! શરત બહુ ! પેલું તો દયા પાળો, વ્રત કરવા, અપવાસ કર્યો હતો, જાણે થઈ ગયો ધર્મી, લ્યો ! અરે..! મરી ગયા (એ બધું) કરી, કરીને ! તારી ચીજની ખબર ન મળે ને એ બધી રાગની ક્રિયા મારી છે અને એમાં હું છું' (એમ માનનાર) તો મિથ્યાદૃષ્ટિ છે. જૂઠી દૃષ્ટિ છે. સાચી દૃષ્ટિ તો ચિલોકને સ્વયં જ પોતે જોવે તે સાચી દષ્ટિ છે. આ...હા...હા...! કહો, ભાઈ ! ભારે વાતું આવી ! છે ?