________________
કળશ-૧પપ
૪૩
પ્રભુ ! જેને સર્વજ્ઞ પરમેશ્વર અંદર આત્મા કહે છે) એ આત્મા વિદ્યમાન ચિલોક છે. ચિદ્ર નામ જ્ઞાનસ્વરૂપ છે એ પછી કહેશે. ‘(ત્નોતિ )' ! ‘ વનં) ઈ છે. શું કહે છે ? અંદર જ્ઞાનસ્વરૂપ નિર્વિકલ્પ છે.” “વિનોની વ્યાખ્યા કરી. ‘એક’ આવશે એનો બીજો અર્થ કરશે. ભગવાન અંદર આત્મા ! જેમ બરફની... શું કહેવાય ઈ ? પાટ હોય ને મોટી ! “મુંબઈમાં બહુ આવે. પચીસ-પચીસ મણની, પચાસ મણની બરફની પાટું હોય) ! ખટારામાં (બહાર) નીકળતા હોય એમાં જોયું હોય ને ? એમ આ અંદરમાં ભગવાન આત્મા ! અતીન્દ્રિય અનાકુળ આનંદની પાટ છે ! આહા...હા...! અતીન્દ્રિય જ્ઞાનની, અનંત અતીન્દ્રિય જ્ઞાનની પાટ છે, અતીન્દ્રિય અનંત સ્વચ્છતાની પાટ છે, અનંત અતીન્દ્રિય પ્રભુતાની શક્તિની એ પાટ છે. આહાહા...! અનંત સર્વજ્ઞ સ્વભાવની ભરેલી પાટ છે એ તો ! અનંત સર્વદર્શી શક્તિની ભરેલી અપરિમિત સ્વભાવની પાટ છે એ તો ! આ શું હશે ? આહા..હા...!
એણે પોતાની ચીજ શું છે એ સાંભળી નથી. સમજાણું કાંઈ ? બહારને બહાર રોકાણો), આ શરીર ને વાણી ને મન ને બહુ તો અંદર પુણ્ય-પાપના ભાવ થાય એમાં પોતે રોકાઈ ગયો. આહા...હા...! એનાથી રહિત ભગવાન ! આ.હા...હા...! પરનું કારણ પણ ન થાય અને પરનું કાર્ય ન થાય એવી એક અકાર્ય નામની અનંત અપરિમિત શક્તિની ઈ સત્તા – પાટ છે ! આ.હા...હા...! આવો આત્મા હશે ? આ તો દેખાતો નથી, કહે છે. પણ તે જોયો છે કે દિ ? બહારને બહાર ફાંફાં માર્યા છે. આ શરીર ને વાણી ને આ ધૂળ ને પુણ્ય-પાપના ભાવ ને પુણ્ય-પાપના ફળ આ બહારની ધૂળ, બહારની પાંચ-પચાસ લાખ ધૂળ મળે એ તારી ચીજ નથી, એ તારામાં નથી, તારાથી નથી. આહા...હા...! આવું વીતરાગનું સ્વરૂપ છે, પ્રભુ !
વીતરાગ થયા, સર્વજ્ઞ પરમેશ્વર થયા, સર્વ આનંદ દશા પ્રગટ કરી એ બધા અરિહંતો, પરમાત્માઓ બિરાજે છે. “સીમંધર ભગવાન બિરાજે છે). મહાવિદેહમાં અનંત તીર્થકરો થયા એ પૂર્ણ અતીન્દ્રિય અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, પ્રભુતા પ્રગટ કરી એ ક્યાંથી આવી ? કંઈ બહારથી આવે છે ? કૂવામાં હોય ઈ અવેડામાં આવે. હોજ... હોજ ! એમ અંદરમાં હોય તો પર્યાયમાં આવે. આહા..હા...!
આ ચિલોકની વ્યાખ્યા ચાલે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! ચિલોક – જ્ઞાનલોક, આનંદલોક, સ્વચ્છતાલોક, પ્રભુતાલોક... આહાહા...! એ લોકની વ્યાખ્યા કરશે. “તોતિ તિ તો' એવા સ્વરૂપને પોતે “ યંતિ એટલે જાણે. રિતોતિ તિ નો:” ઈ લોક તારો છે. આહા...હા...! આવી વાત કેવી હશે આ? પેલું તો દયા પાળે, એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, ત્રણઇન્દ્રિયા, ચઉન્દ્રિયા, પંચેન્દ્રિયા.. ઈચ્છામિ પડિકમ્મા આવે ને ? થઈ ગયું, લ્યો ! મિચ્છામી દુક્કડમ્ ! કાંઈ ખબર ન મળે. ગડિયા હાંકે જાય છે. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવે જે દશા પ્રગટ કરી તે દશાનો સાગર આત્મા છે એમાંથી પ્રગટ કરી છે. આહા...હા...!