SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૪ પર૩ પાંચ વર્ષ. બાવીસ વર્ષે છોડી દીધી. બાવીસ વર્ષની ઉંમરે દુકાન છોડી દીધી. અત્યારે તો ૮૮ થયા. અમે તો બધું જોયું છે, આખી દુનિયા જોઈ છે. દસ હજાર માઈલ તો હિન્દુસ્તાનમાં મોટરમાં ત્રણ વાર ફર્યા છીએ. દસ-દસ હજાર માઈલ, એક એક વાર, એમ ત્રણ વાર હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. મોટી મોટર છે ને ? શું કહેવાય છે ? “મંગલવર્ધિની' નહિ, એ તો નામ છે. પ્લેમાઉથ એવું કંઈક કહે છે. જોયું છે, બધું જોયું છે. આ ચીજ બીજી છે. આહા...હા..! અહીંયાં તો ભગવાન ભાવકર્મ એને કહે છે. આ આત્મા છે તેનો પરમાર્થે સર્વજ્ઞ સ્વભાવ છે. શાંતિથી સાંભળજો, પ્રભુ ! વાત તો અલૌકિક છે ! આખી દુનિયાથી જુદી છે. આ આત્મા જે અંદર છે તેનો સ્વભાવ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ ! જ્ઞાન સ્વભાવ પૂર્ણ છે. તો એવો સર્વજ્ઞ સ્વભાવ (કે) જેનો અંતરમાં અનુભવ કરતાં કરતાં પ્રગટ દશામાં સર્વજ્ઞભાવ થાય છે, વર્તમાનમાં દશા પ્રગટ થાય છે), સ્વભાવમાં છે એ અનુભવ કરતાં કરતાં જ્યારે દિશામાં સર્વજ્ઞ (થાય એટલે કે ત્રણકાળ ત્રણલોકને જાણવાની શક્તિની વ્યક્તતા પ્રગટ થાય છે તેને સર્વજ્ઞ પરમાત્મા કહેવાય છે. એ સર્વજ્ઞ પરમાત્માની આ વાણી છે. ઇચ્છા વિના ધ્વનિ નીકળે છે. આત્મા અંદર સર્વજ્ઞ સ્વરૂપી છે, શક્તિ – સ્વભાવ – સામર્થ્ય – ગુણ – ભાવ, તેનો અનુભવ કરતાં કરતાં વર્તમાન દશામાં, વર્તમાન હાલતમાં, વર્તમાન શું કહે છે? પર્યાય, પર્યાય એ નહિ સમજે. હાલત, વર્તમાન દશા, વર્તમાન દશામાં સર્વશપણું પ્રગટ થાય જેમ લીંડીપીપર – છોટીપીપર હોય છે. ચોસઠ પહોરી ચરપરાઈ અંદર ભરી છે એ ઘૂંટવાથી બહાર આવે છે. એ છે તે આવે છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ ઘૂંટવાથી આવતી હોય તો તો કોલસા અને લાકડીને ઘૂંટવાથી આવવી જોઈએ. તો એમાંથી છે એ આવે છે. એમ આત્મામાં. ચોસઠ નામ પૂર્ણ રૂપિયે રૂપિયો પૂર્ણ સર્વજ્ઞ અને પૂર્ણ આનંદથી ભર્યો પડ્યો પ્રભુ આત્મા છે. ઝીણી વાત છે, પ્રભુ ! એ જ્યારે અંદરમાં અનુભવ કરીને, રાગ – દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ પણ ઝેર છે, નુકસાનકારક છે, એમ ભિન્ન કરીને પોતાના આત્માનો અનુભવ કરે છે ત્યારે અંતર પહેલું સમ્યક્ – સત્ય દર્શન થાય છે. જેવી ચીજ છે તેના દર્શન, દેખવું, પ્રતીત થાય છે. પછી અંતરમાં લીનતા કરતાં કરતાં.. કરતાં કરતાં.. સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. એ સર્વજ્ઞની આ વાણી છે. સર્વજ્ઞ થાય છે એને ઇચ્છા નથી હોતી પણ ધ્વનિ નીકળે છે. “મુખ 3ૐ ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે ૩ૐ ધ્વનિ – ૩ૐ એવો અવાજ ઇચ્છા વિના નીકળે છે. એ આ વાણી છે. ઝીણી વાત છે. એ વાણીમાં આ આવ્યું કે, પોષાત્ માવ:' આહા..હા...! દ્રવ્યકર્મ – જડકર્મ પર છે, ભાવકર્મ પર છે. આહા..હા! શુભકર્મ કહે છે ને ? શુભકર્મ – સત્ કર્મ ! એ બધો
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy