________________
૫૨૦
કલશામૃત ભાગ-૫
મરીને પશુ અનંત વાર થયો, પશુ થઈને નરકમાં અનંત વાર ગયો. નીચે નરક છે. ઘણી હિંસા, માંસ, દારૂ ખાય છે, પીવે છે એ પ્રાણીને નીચે એક નરક ગતિ છે (ત્યાં જાવું પડે છે). જેમ આ મનુષ્યગતિ છે, પશુગતિ છે, એમ નરકગતિ નીચે છે. એ બધું લોજીકથી સિદ્ધ થાય છે, હોં ! એ બધું સિદ્ધ કરવા જઈએ તો (આ વાત) ચાલે નહિ. અનંતવા૨ નરકમાં પણ ગયો, પોતાની ચીજ આનંદકંદ પ્રભુ શું છે ? તેનો અનુભવ, તેને અનુસરીને થવું, આનંદ અને જ્ઞાનને અનુસરીને (પરિણમન) થવું એવા અનુભવ વિના તેણે પશુ અને નક ને તિર્યંત ને મનુષ્ય ભવ અનંત કર્યાં. સાધુ પણ અનંત વાર થયો, હજારો વા૨ ત્યાગી થયો (પણ) એમાં કંઈ છે નહિ ? સ્ત્રીનો ત્યાગી થયો, રાજનો ત્યાગી થયો, વેપારધંધો, દુકાન છોડી દીધાં, બાવો થઈ ગયો પણ એમાં કંઈ છે નહિ.
અંદરમાં આનંદકંદ પ્રભુ છે તેનો જ્યાં સુધી અનુભવ, સત્કાર, સ્વીકાર, અંતરના આનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી એના જન્મ-મરણ મટતા નથી. ચોરાશી (લાખ) યોનિમાં અનંતવા૨ ઉપજે છે. ચોરાશી લાખ યોનિ છે, એક એક યોનિ – ઉત્પત્તિસ્થાનમાં અનંત વાર ઉપજ્યો છે. અનંતકાળ છે, આત્મા અનાદિ છે, (તેની) આદિ છે ? છે.. છે... છે... આમ અનંત કાળમાં છે... છે... છે... છે... કોઈ દિ' આત્મા નહોતો એમ છે નહિ. છે... છે... છે... છે... વર્તમાન છે, ભવિષ્યમાં છે. એ તો ત્રિકાળ રહેવાવાળી ચીજ છે. એ ચીજમાં આનંદ અને જ્ઞાન ભર્યો છે, તેના અનુભવ વિના... એ કહે છે, જુઓ !
જિત યે પરે માવા: તે રેષામ્' (તિ) ‘નિશ્ચયથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે...’ ભગવાન આનંદ અને જ્ઞાનસ્વરૂપ સાથે અણમળતા...' મેળ નથી ખાતો. ચૈતન્ય સ્વરૂપ આનંદ અને જ્ઞાન સ્વભાવ સાથે અણમળતા મેળ નથી ખાતો એવા પુણ્ય-પાપના વિકાર ભાવ અણમળતા છે. તેની સાથે મેળ ખાતો નથી. ભિન્ન ચીજ છે. આહા..હા...! છે ? (વ્હિલ)
‘નિશ્ચયથી...’ પરે માવા: તે પરેષામ્‘નિશ્ચયથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે...’ શું ? કોણ અણમળતા છે ?
‘દ્રવ્યકર્મ...’ જડકર્મ છે. અંદરમાં કર્મ છે. આ પુણ્ય-પાપના ભાવ કરે છે તો કર્મ બંધાય છે. કર્મને કારણે પુણ્ય હોય તો આ પૈસા મળી જાય, પાપ હોય તો નિર્ધનતા થઈ જાય. એવી કર્મ ચીજ છે. બુદ્ધિના વિનાના ખાલી બારદાન હોય. બારદાન સમજાણું ? બુદ્ધિ બહુ ન હોય, તોપણ પાંચ-પાંચ લાખ પેદા કરે છે. કેમકે પૂર્વના પુણ્યના રજકણ પડ્યા હોય તેને કા૨ણે મળે. એ કંઈ બુદ્ધિથી, પ્રયત્નથી મળતા નથી. એમાં તો પુરુષાર્થ કરવો પડે.
મુમુક્ષુ :
ઉત્તર ઃ- ધૂળમાંય પુરુષાર્થ કામ નથી કરતો. એ તો કહ્યું નહિ ? અમે તો ઘણું જોયું છે ને ? બુદ્ધિના બારદાન જેવા મહિને પાંચ-પાંચ લાખ પેદા કરે. બારદાન સમજ્યા ? ખાલી, થોથા જેવા. અને બુદ્ધિના ખાં, બહુ બુદ્ધિવાળો હોય તોપણ બે હજાર પેદા કરવામાં ૫૨સેવા
-