SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૩ ૫૧૩ સામાન્ય-વિશેષ ચેતના દ્રવ્યમાં કાયમ રહેનાર છે. એને વ્યાપક ગણી અને આત્માને વ્યાપ્ય કીધો છે. આહા...હા...! એટલે ? સામાન્ય અને વિશેષ જે ચેતનાને આધારે તો આત્મા છે. હવે જ્યારે આ કાઢી નાખ તો આત્મા નહિ રહે. આત્માને આધારે ચેતના છે એ અહીં સિદ્ધ કરવું નથી. કારણ કે અહીં તો ચેતનાથી આત્માને સિદ્ધ કર્યો છે. સમજાણું કાંઈ ? જરી ઝીણું છે પણ ધીમે ધીમે સમજવા જેવું છે અને સમજાય એવું છે, કંઈ ન સમજાય એવું નથી. અરે..! ભગવાન કેવળજ્ઞાન લઈ શકે ને પ્રભુ ! આ.હા...હા...! કેમકે ચેતનામાં તો એવી કેવળજ્ઞાનની પર્યાય અનંતી પડી છે. આહા..હા.. ચેતનાનો અનુભવ થતાં આત્માનો અનુભવ થયો અને અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય અને સમ્યગ્દર્શન થતાં એને કેવળજ્ઞાન થાય, થાય ને થાય જ. બીજ ઊગે ઈ પૂનમ થયા વિના રહે નહિ. આહા...હા...! એથી એનું મૂળ પહેલું સમ્યગ્દર્શન સિદ્ધ કર્યું છે. સમ્યગ્દર્શન એટલે ? જુઓ, કીધું. ‘વ્યાપાત્ વિના' “વ્યાપ' એટલે ત્રિકાળી ચેતના. “વ્યાપ વિના' ચેતનાગુણનો અભાવ થતાં...' બીજા ગુણભેદો કાઢી નાખ્યા. આ ભેદ) પાછો રાખ્યો. વ્યાપ વિના” “ચેતનાગુણનો અભાવ થતાં ચેતનાગુણમાત્ર છે જે જીવદ્રવ્ય તે...” (તમ્ તિ) “નાશને પામે અર્થાતુ મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે. આહા..હા....! સામે પુસ્તક છે ને ? ભાઈ ! ઘરના પેલા ચોપડા ફેરવે છે ને ? વાંચે છે ને ? આખો દિ પાપના ફેરવ્યા કરે છે, પણ આ શાસ્ત્ર શું કહે છે ? આહા...હા...! તારી મૂડી કઈ છે ઈ બતાવે છે. તારી મૂડી ચેતના-મૂડી છે. એ ચેતના સામાન્ય-વિશેષરૂપ મૂડી છે. એ ચેતનાના અભાવે જીવદ્રવ્ય સિદ્ધ નહિ થાય. જીવદ્રવ્ય નહિ રહે અને વ્યાપા વિના આત્માનો નાશ થશે. આહા..હા...! મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે. – આવા ત્રણ દોષ મોટા દોષ છે.” મિથ્યાત્વના મોટા ત્રણ દોષ છે એમ કહે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા...હા...! રાગ ને પુણ્ય-પાપ એ તો કાઢી નાખ્યા. આ બે વચ્ચે ચેતના અને ચેતનાનું ધરનાર દ્રવ્ય, ચેતનાથી સિદ્ધ કર્યું છે એટલે ચેતનાનો અભાવ થતાં આવા ત્રણ દોષ સિદ્ધ થશે. ત્રણ દોષથી) મિથ્યાત્વ થશે એમ કહે છે. આહા...હા...! સમજાણું કાંઈ ? ‘આવા દોષોથી જે કોઈ ભય પામે છે.” છે ? “આવા દોષોથી જે કોઈ ભય” એટલે કે ખસી જવા માગે છે, દોષથી રહિત થવા માગે છે. આહા...હા...! “તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન-શાન એવાં બે નામે – સંજ્ઞાએ બિરાજમાન છે.” આ..હા..! સરવાળો કર્યો, જુઓ તો ખરા ! આહા...હા! દિગંબર સંતોની બલિહારી છે, ભાઈ ! એવી વાત ક્યાંય છે નહિ. આહાહા....! બીજાને દુઃખ લાગે, બાપુ ! આવી વાત ક્યાં છે) ? આહા...હા...! ચેતનાનો અનુભવ કરવો છે તો એ જીવનો અનુભવ છે. તો ચેતના સામાન્ય-વિશેષ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy