________________
કળશ-૧૮૩
૪૯૯
(કેવી છે ) (ગતા પિ) “એક-પ્રકાશરૂપ છે.” એનો સ્વભાવ પ્રકાશરૂપ છે. તથાપિ દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના – એવા બે નામોને છોડે, તો તેમાં ત્રણ દોષ ઊપજે.” થોડી ઝીણી વાત છે, આ તો ભઈ બહુ મગજ ધીરું કરવાનું છે. સમજાણું કાંઈ ? કોઈ એમ કહે કે, અમે તો એકરૂપ છીએ. બધું એકરૂપ છે અને હું પણ એકરૂપ છું એમ કોઈ કહે. એકરૂપ છે ઈ એકરૂપ સામાન્યમાં જણાયું કે વિશેષમાં જણાણું ? ઝીણી વાતું છે, અહીં તો આવી ગયું છે. આહા..હા..! મેં આત્મા જાણ્યો. એમ કહેનાર કહે છે કે, જાણ્યો એ દશા વિશેષ છે કે સામાન્ય છે ? જો વિશેષ ન હોય તો જાણવું એ દશા જ વિશેષ રહેતી નથી, સામાન્ય થઈ જાય. સામાન્યમાં જાણવું એવો ભેદ તો રહેતો નથી. આહાહા..! સમજાણું કાંઈ ?
‘દર્શનરૂપ ચેતના, જ્ઞાનરૂપ ચેતના – એવાં બે નામોને છોડે,...” ચેતન એવો જે આત્મા, એનું સત્ત્વ જે ચેતના, એ ચેતના જો બે રૂપને છોડે. આત્મા, એની ચેતના એનું સત્ત્વ, એ બે રૂપને છોડે તો ત્રણ દોષ ઊપજે છે. છે ને ?
પ્રથમ દોષ આવો – “સ ૩સ્તિત્વમ્ વિ ત્યને” તે ચેતના (સ્તિત્વમ્ વ ચૈનેતા) પોતાના સત્ત્વને અવશ્ય છોડે. કારણ કે બેપણું ન હોય તો છે, એનો નિર્ણય કરનાર પર્યાય નથી તો છે એ પણ નથી રહેતું. છે” (એ) શેમાં જણાવ્યું ? છે? શેમાં જણાણું ? જો જણાવાની વિશેષ દશા ન હોય તો છે' એ રહેતું નથી. વસ્તુ ત્રિકાળ છે એમાં જો વિશેષપણું ન હોય તો વિશેષ વિના છે એ પણ આવ્યું નહિ. છે' એ રહેતું નથી.
પોતાના સત્ત્વને અવશ્ય છોડે.” “સ સ્તિત્વમ્ વ ત્યને” એટલે ? સામાન્ય અને વિશેષ એવા ચેતનાના બે પ્રકાર ન હોય તો વિશેષ એ જાણનાર છે અને સામાન્ય તેમાં જણાય છે. બે પ્રકાર ન હોય તો વસ્તુ જ નથી રહેતી. જાણનાર રહેતું નથી તો ઈ જાણનાર જે સામાન્ય સત્તા છે એને જાણનાર રહેતો નથી. છે એને નક્કી કોણે કર્યું ? સમજાણું કાંઈ ? આહા...હા...!
સામાન્ય એકપણે જો કહેવડાવો તો વિશેષ વિના સામાન્ય છે એવો નિર્ણય કોણે કર્યો ? સામાન્ય અને વિશેષ બન્ને રહેતાં નથી. એ ચેતના જ રહેતી નથી. આહા..હા..! આ તો Logicથી બધું મૂક્યું છે.
ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય.” કેમ ? કે, વિશેષ અને સામાન્ય એવા બે પ્રકાર ન આવે તો જાણનાર વિશેષ પર્યાય વિના ચેતના સત્ત્વ છે એની હયાતીનો સ્વીકાર નથી આવ્યો તો એ બન્ને ઉડી જાય છે. છે... માણસ નથી કહેતા ? કે, આત્મા છે. ભાઈનો પ્રશ્ન હતો કે, કારણપરમાત્મા છે ને ? તો કાર્ય કેમ નથી આવતું ? એમ પ્રશ્ન હતો. આત્મા કારણપરમાત્મા છે તો કારણ છે તો કાર્ય આવવું જોઈએ. પણ કારણપરમાત્મા છે એની હયાતી સ્વીકારી કોણે ? સ્વીકાર્યા વિના કારણપરમાત્મા છે એમ