________________
કળશ-૧૮૨
-
આત્માના સ્વભાવ વડે એવો ભેદ પડ્યો ને ? આત્મામાં – મારામાં – આધાર, એવા ભેદ હો, વિકલ્પ ઉઠતા હોય તો કહે છે, (ભલે) હો. વસ્તુમાં નથી. આહા..હા...! વચન દ્વારા, વ્યવહાર દ્વારા (કહેવાય). અહીં વચન દ્વારા કહ્યું છે. વ્યવહારને કથન માત્ર જ કહ્યું છે. કથનમાત્રમાં એવા ભેદ હો, વસ્તુમાં નથી. આહા...હા...!
અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ.... આ ભેદ એમાં નથી એમ કહેવું છે. કારકો જેમાં નથી. ધર્મા:’ એટલે ઉત્પાદ-વ્યય ને ધ્રુવ. આહા..હા...! અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ..’ એ પણ વચન દ્વારા, વિકલ્પ દ્વારા હો તો હો, વસ્તુમાં નથી. આહા..હા..! નિર્વિકલ્પ અનુભવમાં આ કાંઈ નથી. પહેલા વિકલ્પના વિચારોમાં ભલે આ હો, કહે છે. અહીં વચન દ્વારા કીધું છે, વ્યવહાર કીધો છે. વ્યવહારને કથનમાત્ર કીધું છે ને ? એટલે કથનીમાં અંદ૨ ભલે ભેદ પડો, વસ્તુમાં નથી. આહા..હા...! આવો માર્ગ ! કહો, ભાઈ ! આહા..હા...!
પ્રથમ આત્માનો અનુભવ થવાના કાળમાં આ સ્થિતિ હોય છે. અર્થાત્ સમ્યગ્દર્શનના કાળમાં આવો ભેદ એમાં હોતો નથી. આ..હા..હા..હા...! અહીં તો હજી કહે, વ્યવહા૨ ક૨તાં કરતાં થાય. વ્યવહાર આ, રાગનો વ્યવહાર, હોં ! આ તો એની કથનીનો વ્યવહા૨ છે એનાથી પણ (થાય) નહિ, કહે છે. આહા...હા....!
‘ધર્મા:’ એટલે ઉત્પાદ્-વ્યય ને ધ્રુવ. એનો સ્વભાવ. ત્રણ ભેદ એ પણ જેમાં નથી, એકરૂપ વસ્તુ છે. આહા..હા...! અથવા દ્રવ્ય-ગુણ ને પર્યાય. આત્મા દ્રવ્ય, ચેતના ગુણ, પર્યાય નિર્મળ એવા ત્રણ ભેદ પણ જેમાં નથી. આહા..હા...! બે બોલ થયા. બે બોલ કોણ ? ારાળિ” અને ‘ધર્મા:’‘વ્યારાન’ (એટલે) કારકો, અને ધર્મ. હવે ત્રીજો એક બોલ રહ્યો.
૪૯૧
‘શુ:’ ધર્મથી ગુણ જુદી જાત પાડી. પેલામાં ભેદ છે ને ? હવે આ જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ...' આહા..હા..! એકરૂપ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવમાં અનંત ગુણ છે. એ ગુણી છે એમાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ છે એ પણ વચનનો વ્યવહા૨ અને વિકલ્પ છે. આહા..હા...! એ પણ અનુભવના કાળમાં નથી. આવી વાત છે.
કાલે એક માણસ કહેતા હતા, તમે નિશ્ચયને માનો છો ને ? કાલે સંઘ આવ્યો હતો ને ? મેં કીધું, હા. નિશ્ચય હોય તો પછી વ્યવહાર હોય, એમ. સાધુ-બાધુ કોઈ છે નહિ. બાપુ ! હજી તો સમ્યગ્દર્શનના ઠેકાણા નથી. અનેક પ્રકારની વિપરીત માન્યતા કરી રહ્યો છે. આહા..હા...! આમાં ક્યાં સમ્યગ્દર્શન, કાં સાધુપણું, શ્રાવકપણું કચાંથી આવ્યું ? આકરું કામ તો ખરું.
જ્ઞાનગુણ આદિ અનંત ગુણ, ભેદરૂપ મિદ્યતે” છે ને ? ધર્મી શુળા: મિદ્યન્ત” આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે...’ વિકલ્પ દ્વારા ન કહેતાં, વચન દ્વારા કીધાં. અંદર મૂળ તો વિકલ્પ છે, અંતરવચન, અત્યંતર વચન. આ આવો છે ને આ આવો છે.