________________
૪૯૦
કલામૃત ભાગ-૫ બળથી, બન્નેના જુદા લક્ષણની સહાયથી જુદા પાડે. આહા...હા...! આવી વાત છે. આ તો મૂળની વાત છે.
સ્વત્નક્ષUવિતા' ભગવાન આત્માનું લક્ષણ તો જાણન પ્રકાશ (છે) અને રાગનું લક્ષણ એ પ્રકાશથી વિરુદ્ધ અચેતન (છે). એવા બેના લક્ષણની સહાયથી, બળથી બે જુદા પાડી શકાય છે. આહાહા..! ભાષા તો બહુ સહેલી છે પણ) ભાવ (બહુ ગંભીર છે). આહા...હા...! કરવાનું હોય તો આ છે. “લાખ વાતની વાત નિશ્ચય ઉર આણો, છોડી જગત તંદુરંદ, નિજ આતમ ઉર ધ્યાવો” ઈ આ !
વનક્ષUાવતા” “કેવો છું હું ?” ઃિ ૨al વ વર્મા વા UTT: fમત્તે મિન્તાં વિતિ ભાવે વન fમા ન આહા..હા..! એકદમ અભેદ સ્વરૂપને વર્ણવે છે. સમ્યગ્દર્શનનો વિષય એકદમ અભેદ છે. ભેદ જરીયે નથી. આ..હા...! “દ્ધિ જો આત્મા, આત્માને.' પરથી તો જુદો પાડ્યો. હવે અહીંયાં ભેદ પાડે છે, એ ભેદથી પણ જુદો. આહા..હા..! “આત્મા’ કર્તા. ‘આત્માને, આત્મા વડે...” એ સાધન. ‘આત્મામાં...” આધાર એવા ભેદ” આહા...હા..! એવા ભેદ વિકલ્પ દ્વારા અથવા વચન દ્વારા પડી શકે. વસ્તુમાં ભેદ નથી, એમ કહે છે.
“આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં....” અહીં અર્થ વચન દ્વારા લેશે પણ વિકલ્પ દ્વારા એવા ભેદ પડે, પણ વસ્તુમાં ભેદ નથી. સમજાણું કાંઈ ? આહા...હા....! આત્મા પરથી તો જુદો પાડ્યો પણ હવે પોતામાં પણ ભેદ નહિ, એમ કહે છે. આહા..હા...! આત્મા (એટલે) કર્તા, આત્માને (એ) કાર્ય – કર્મ, આત્મા વડે (એટલે) સાધન. આત્મા વડે જાણવું એવો ભેદ પણ જેમાં નથી, કહે છે. આહા..હા..! રાગ વડે તો નહિ, રાગ તો જુદો પાડી દીધો, હવે આત્માને, આત્મા, આત્મા વડે એટલે આત્મ-સાધન, આત્મા વડે – સાધન, આત્માને આધારે, સાધનને પણ આત્માને આધારે, એવા ભેદ પણ જેમાં નથી.
મુમુક્ષુ :- વસ્તુ તો ભેદભેદ સ્વરૂપ છે. ઉત્તર :- અભેદ છે અને એકરૂપ છે. આહા...હા...!
એ કારકો (છે). કર્તા, કર્મ જ છે ને ? એ કારકની વાત છે. આત્મા... ખરેખર એ કર્તાકર્મ કારકો છે ઈ પર્યાયમાં થાય છે. ધ્રુવમાં કારકો (છે) ઈ તો ધ્રુવ છે. પણ ભાષા બતાવે છે – આત્મા એવી એ પર્યાય, આત્માને એ પર્યાય, આત્મા વડે (એ) પર્યાય, ઈ કર્તા, કર્મ આદિ પર્યાયમાં હોય છે. દ્રવ્યમાં કર્તા, કર્મ હોતું નથી એ તો આરોપથી કથન છે. આહા...હા...!
વસ્તુ જે છે એમાં તો આત્મા, આત્માને અને આત્મા વડે. વ્યવહારને તો જુદો પાડ્યો, વ્યવહારથી તો થાય નહિ, પણ આવા ભેદ વડે પણ આત્મા અનુભવાય નહિ, એમ કહે છે. આહા...હા...! આત્માને, આત્મા વડે – સ્વભાવ પડે. આત્મા વડે (એટલે) સ્વભાવ વડે.