SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કિલશામૃત ભાગ-૫ છે માટે કર્તા કહેવાય છે. એ જ્ઞાનની અપેક્ષાએ સ્વ અને પર બન્નેને જાણવાની અપેક્ષાએ લેવાય. પણ દૃષ્ટિની અપેક્ષાએ જ્યારે વાત) ચાલે (ત્યારે) એ તો ત્રિકાળી આનંદનો નાથ જેને અનુભવમાં આવ્યો અને હવે અશુદ્ધતા છે જ નહિ. ત્યાં એમ કહે ! કેમકે વસ્તુ શુદ્ધ છે અને એને શુદ્ધતાના પરિણામથી પકડી છે. એટલે એના પરિણામમાં અને એના વિષયમાં અશુદ્ધતા છે નહિ. પરિણામમાં અશુદ્ધતા નથી (એમ કહ્યું) ! આહા...હા...! પ્રશ્ન :- કોના પરિણામમાં અશુદ્ધતા નથી ? સમાધાન :- સમકિતીના. જ્યારે જ્ઞાનની પ્રધાનતાથી કથન ચાલે ત્યારે કહે કે, એના પરિણામમાં અશુદ્ધતા છે. અશુદ્ધતા ન હોય તો પૂર્ણ શુદ્ધતા હોવી જોઈએ. આનંદની સાથે થોડું દુઃખ ન હોય તો આનંદ પૂર્ણ હોવો જોઈએ. સાધકજીવને – સમ્યક્દષ્ટિને દુઃખ જ નથી એમ કોઈ કહે તો એને પૂર્ણ આનંદ છે એમ થઈ જવું જોઈએ. પૂર્ણ આનંદ તો છે નહિ. મુમુક્ષુ :- બારમે ગુણસ્થાને દુઃખ જરાય નથી, છતાં સુખ પૂરું નથી. ઉત્તર :- ઈ તો અનંત નથી, સુખ પૂરું થઈ ગયું છે. અનંત સુખ નથી. બારમે સુખ પૂરું થઈ ગયું છે પણ અનંત સુખ નથી. કેમકે જ્ઞાનાવરણીય છે એટલે અલ્પજ્ઞ છે તો અનંત સુખ નથી. આહા...હા...! આવી વાતું છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ” આવે છે ને ? “શ્રીમમાં આવે છે. જ્યાં જ્યાં યોગ્ય છે યોગ્ય ! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ. ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થીજન એહ.” એને એવો આગ્રહ ન હોય કે મારે બિલકુલ રાગ છે જ નહિ. સમજાણું કાંઈ? આહા...હા...! દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયના જોરની અપેક્ષાએ એને રાગ છે જ નહિ એમ કહેવામાં આવે. પણ જ્યારે દૃષ્ટિ સાથે જ્ઞાન થયું હોય એ જ્ઞાન રાગના કણેકણને જાણે (કે) મારો પોતાનો દોષ છે, મારે કારણે દોષ થયો છે, કર્મને કારણે નહિ. બીજી અપેક્ષાએ જ્યાં કર્તા-કર્મનો અધિકાર લે (‘સમયસારની) ૭૫, ૭૬, ૭૭ (ગાથા). ત્યારે કહે કે, સમ્યક્રદૃષ્ટિ જીવને વ્યાપ્ય-વ્યાપકપણું શુદ્ધમાં છે. અશુદ્ધનું વ્યાપ્ય-વ્યાપકપણું એને છે જ નહિ. એ તો કર્મનું વ્યાપ્ય-વ્યાપકપણું છે). કર્મ વ્યાપક થઈને વિકારની વ્યાપ્ય – અવસ્થા કરે છે. ત્યાં એમ લે છે. આહા...હા...! ભાઈ ! ત્યાં એમ કહ્યું છે કે કર્મ વ્યાપક થઈને વિકારની વ્યાપ્ય અવસ્થા કરે છે. આત્મા વ્યાપક થઈને, સ્વભાવ છે તે વ્યાપક થઈને વિકાર ક્યાંથી કરે ? ત્યાં એમ લીધું. એક (ભાઈએ) એ પ્રશ્ન કર્યો હતો. “જામનગર’ “આ ઠેકાણે આ (કહ્યું) અને આ ઠેકાણે (આમ કહ્યું છે ?' (અમે કહ્યું) જે ઠેકાણે જે રીતે કહ્યું તે રીતે એને માનવું પડશે. અહીં તો કહ્યું કે, સમકિતીને વિકાર થાય છે એ) કર્મનું વ્યાપ્ય છે અને બીજી રીતે કહો તો એને કર્મનું વ્યાપવાનું વિકાર છે ત્યાં સુધી છે. જ્યાં સુધી એને વિકાર છે ત્યાં સુધી
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy