________________
કળશ-૧૫૪
૩૩ પર્વ નોતિ )' જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે છે. ભાવાર્થ આમ છે કે – જે જીવનું સ્વરૂપ જ્ઞાનમાત્ર તે તો જ્ઞાનમાત્ર છે. કેવો છે ચૈતન્યલોક ? “શાશ્વત: અવિનાશી છે. વળી કેવો છે ? :” એક વસ્તુ છે. વળી કેવો છે ? “ વ્યવત્ત:' (સન) ત્રણે કાળે “(વ્યવ7:)' પ્રગટ છે, કોને પ્રગટ છે ? “વિવિવરાત્મનઃ” “(વિવિવત્ત)” ભિન્ન છે ‘(ક્ષત્મિ:' આત્મસ્વરૂપ જેને એવો છે ભેદજ્ઞાની પુરુષ, તેને. ૨૩-૧૫૫.
નોવેશ: શાશ્વત ઇઝ સહનવ્યવત્તો વિવિવત્તાત્મન- ભેદજ્ઞાનીને “વ્યવો એમ આગળ કહેશે. વસ્તુ તો વ્યક્તિ છે પણ ભાન થયું છે તેને વ્યક્ત છે. આહા...હા...! છેલ્લી લીટીનો પહેલો અર્થ કરે છે.
સ: સનં જ્ઞાનં સ્વયં સતત સવા વિન્દ્રતિઃ “સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે. આહા..હા...! એ શુદ્ધ ચૈતન્યવહુને “આસ્વાદે છે.” રાગને નહિ. આહાહા..! રાગ આવે છે એટલું દુઃખ છે ઈ વાત અત્યારે અહીં નથી લેવાની. આ નિર્જરા અધિકાર છે અને દૃષ્ટિના વિષયનો અધિકાર છે.
મુમુક્ષુ :- કોઈ કહે કે ન કહે ત્યારે આપ નહિ કહો.
ઉત્તર :- ના પાડે તો એને કહીએ કે હા છે ? સમકિતીને પર્યાયમાં જરીયે રાગ નથી અને દુઃખ જ નથી એમ કોઈ નિષેધ કરે તો એકાંત છે એમ પણ ત્યાં કહીએ. ઈ બન્નેનો મેળ કરે તો ચોખ્ખું થાય. આહા...હા...!
અહીં કહે કે, સમકિતી રાગનો કર્તા નથી અને પ્રવચનસારમાં કહે કે, ગણધર પણ મહાવ્રતનો વિકલ્પ આવે છે એનો એ કર્તા છે. કર્તા નામ પરિણમે તે કર્તા એમ કહીને તેને કર્તા ઠરાવ્યો છે અને તેનો – રાગનો ભોક્તા પણ છે. કેમકે એટલો રાગ આવ્યો એનું જ્ઞાનીને પણ વેદન છે. પણ જ્યારે દૃષ્ટિના વિષયની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે તેને રાગ કરવાલાયક છે (એવી કર્તા બુદ્ધિ નહિ હોવાથી) એ અપેક્ષાએ કર્તા નથી અને ભોગવવાલાયક છે (એવી ભોક્તાબુદ્ધિ નહિ હોવાથી) એ અપેક્ષાએ ભોક્તા નથી (એમ કહેવાય. આવી વાતું છે. આ તો વીતરાગનો અનેકાન્ત માર્ગ, ભાઈ ! આહાહા...!
એનો અર્થ એવો નથી કે, વ્યવહારથી પણ ધર્મ થાય અને નિશ્ચયથી પણ ધર્મ થાય ઈ અનેકાન્ત. એમ નથી. વ્યવહાર છે, નિશ્ચય છે. બન્ને છે (એમ) તેની માન્યતામાં જાણવું જોઈએ. પણ એ વ્યવહાર હેય છે, ઝેર છે, પણ છે ને ?
મુમુક્ષુ – આપ એમ કહો છો કે, એનો અભાવ કરે ત્યારે થાય.
ઉત્તર :- અહીં તો અત્યારે છે એની વાત છે. અભાવ તો સ્થિરતા કરે ત્યારે થાય). અહીં તો એને અત્યારે છે, ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને અશુદ્ધતા છે, વેદે છે, પરિણમે