________________
૪૪૬
કિલશામૃત ભાગ-૫ શુભ રાગ છે. ત્યાં અશુભ રાગ નથી. એનાથી અહીં બિન્ને પાડવું છે. આહા...હા...! એ પણ બુદ્ધિગમ્ય થઈ શકે એ રીતે છેદ, અંદર તદ્દન એક સમયનો પર્યાય પકડીને છેદી શકાય એ તો તાકાત નથી, એમ કહે છે. એક સમયની પર્યાયને પકડીને છેદ કરે) એટલી તાકાત પહેલાં નથી હોતી, પણ બુદ્ધિગમ્ય રીતે) અસંખ્ય સમયે ખ્યાલામાં આવે છે). કામ થાય એક સમયમાં પણ ઉપયોગનું કામ ચાલે અસંખ્ય સમયમાં. સમજાય છે કાંઈ? આહાહા..!
પ્રભુનો માર્ગ છે શૂરાનો, કાયરના નહિ કામ ત્યાં આહા...હા....! એ વીરતા (અર્થાતુ) વી (એટલે) વિશેષ રી (એટલે) પ્રેરે. સ્વભાવને વીર્ય પ્રેરે તે વીરતા કહેવાય. આહા...હા...! ધીરજથી (અર્થાતુ) ધી નામ બુદ્ધિ, બુદ્ધિ છે ને ? આ બુદ્ધિ આવી ને ? ધી..૨... ધી...૨. ધી નામ બુદ્ધિને રાગથી ભિન્ન કરીને બુદ્ધિને “૨' (એટલે) પ્રેરે. આહાહા.! એને ધીર કહેવામાં આવે છે. ધી એટલે બુદ્ધિ ૨ એટલે પ્રેરે. રાગથી ભિન્ન કરીને જ્ઞાનમાં જાય. આહા...હા...! એને ધીરજ અને ધીર કહેવામાં આવે છે. એને વીર કહેવામાં આવે છે. - બુદ્ધિપૂર્વક વીર્યને રાગ અને સ્વભાવને બેને છેદીને... આહાહા..! સ્વભાવ તરફ ઢળે છે, એ તો હજી પ્રથમ સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને ચારિત્રના અંશની દશા થઈ પણ પૂરી દશા હજી થઈ નથી. સમજાણું કાંઈ ? આ તો આમાં છે કે નહિ ? કે નવું છે ? ત્યારે એ કહે કે, પણ સમ્યગ્દર્શન સૂક્ષ્મ છે એ દેખાય નહિ માટે કેવળીગમ્ય છે. માટે આપણે વ્રત ને તપ કરો. આ..હા...! પ્રભુ ! શું કરે છે તું ? બુદ્ધિગમ્યથી જાણી શકાય છે. તેથી બુદ્ધિગોચર કહ્યું ને ? આ.હા..! આ એની રીત અને આ એની પદ્ધતિ છે. આ રીત અને આ પદ્ધતિથી દૂર જઈ) બીજું કરવા જશે તો વસ્તુ હાથ નહિ આવે, બે જુદા નહિ પડે. આહા..હા... અને બેની એકતા રહેશે ત્યાં સુધી મિથ્યાત્વ અને સંસારમાં રખડવાનું છે. આહાહા..!
એકવાર મધ્યસ્થ થઈને જો તો ખરો, પ્રભુ ! પૂર્વના આગ્રહ-ફાગ્રહ બધા છોડી દે. આહા..હા....! એને આ રીતે ખ્યાલમાં આવે એ રીતે તો છેદ, એમ કહે છે. બુદ્ધિગોચર એટલે એમ કીધું ને ? આહા..હા...! તારા જ્ઞાનમાં બુદ્ધિગમ્ય – બુદ્ધિગોચર થઈ શકે એ રીતે તો તું એને જુદા પાડ. આહાહા..! પછી ?
“પછી.” શબ્દ છે ને ? પહેલાં, એમ ત્યાં કહ્યું હતું ને ? ત્યાં પ્રથમ કહ્યું હતું ને ? પ્રથમ તો’ એમ હતું. પ્રથમ તો પેલે પાને) લીટી છે). પ્રથમ તો બુદ્ધિગમ્ય એમ કહ્યું, હવે પછી તો એમ કહે છે). “સકળ કર્મનો ક્ષય થવાથી..” એટલે કે પછી તો ઉગ્ર પુરુષાર્થ દ્વારા) સ્વભાવ તરફ ઢળવાથી ચાર ઘાતિ (કર્મનો) નાશ થાય છે. એમ, વાત અહીંથી ઉપાડી છે. સમજાણું કાંઈ ? પહેલાં તો બુદ્ધિગમ્ય ખ્યાલમાં આવે તે રીતે રાગ અને આત્માને છેદી નાખ, પ્રભુ ! ભિન્ન પાડ, પ્રભુ ! તારી તાકાત છે. તારામાં અનંત વીર્ય પડ્યું છે. આ..હા...હા...!