SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ કલશામૃત ભાગ-૫ પડેલો જ છે, રહેલો છે, તેને ભિન્ન પાડવો છે. ભિન્ન છે તેને ભિન્ન ક૨વો છે, કહે છે. એક છે તેને ભિન્ન ક૨વો છે એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? બે-ત્રણ લીટીમાં તો કેટલું ભર્યું છે, જુઓને ! પોણો કલાક તો થયો. મુમુક્ષુ :- માલ છે. ઉત્તર :- માલ છે. સાચી વાત છે, માલ છે ! આહા..હા...! (અહીંયાં કહે છે) ‘નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી....' જોયું ? એ રાગને પણ પરદ્રવ્ય ગણ્યું છે. આહા..હા...! ‘નિયમસાર'માં તો ભગવાને નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કીધી છે. કેમકે એમાંથી નવી પર્યાય આવતી નથી માટે. અને આને ૫દ્રવ્ય કીધું, શા માટે ? કે, પોતાના સ્વભાવથી ભિન્ન જાત છે માટે પરદ્રવ્ય કીધું. સમજાણું કાંઈ ? ‘નિયમસાર'માં સમકિતને પરદ્રવ્ય કીધું છે. આહા...હા...! ચારિત્ર - સ્વરૂપની રમણતા, આનંદની રમણતા એ પદ્રવ્ય છે. કેમ ? (કેમકે) પદ્રવ્યમાંથી જેમ નવી પર્યાય આવતી નથી (એમ પર્યાયમાંથી પર્યાય) નથી આવતી માટે મારું સ્વદ્રવ્ય તો આ છે. તો અહીંયાં તો રાગ છે... આ..હા..હા...! એ રાગ છે એ ભગવાન દ્રવ્યથી ભિન્ન પદ્રવ્ય જ છે. આ..હા...! આવું આકરું પડે છે માણસને, આહા..હા...! શું કરે ? પ્રભુ ! ભાઈ ! તેં સાંભળ્યું નથી. તારા ઘરની મોટપને તેં સાંભળી નથી. તારી મોટપ રાગમાં એક થઈ નથી, પ્રભુ ! આહા..હા...! તો રાગથી આ મોટપને લાભ મળે, ભાઈ ! તારામાં નથી, તારી નથી, તારાથી ભિન્ન ચીજ છે એનાથી આત્માને લાભ – મોક્ષનો માર્ગ થાય, અરે... પ્રભુ ! ભાઈ ! તને અંદર સમજવામાં મુશ્કેલ પડ્યું, બાપા ! ભાઈ ! મિથ્યાશ્રદ્ધાના ફળમાં દુ:ખ ઘણું છે, પ્રભુ ! મિથ્યાશ્રદ્ધાના ફળમાં ભગવાન ! અનંત ભવના બીજડા છે. અનંત ભવ માથે (ભમે છે). આહા..હા...! મિથ્યાશ્રદ્ધામાં અનંત ભવ આમ માથે લટકે છે. આહા..હા...! અને સમ્યગ્દર્શન (થતાં) બે (જુદાં છે) તેમ (જુદા) કરતાં અનંતો આનંદ પ્રગટે એમ એની તૈયારી થઈ ગઈ. આહા..હા...! સમજાણું કાંઈ ? શું શૈલી.... શું શૈલી !! આહા..હા...! દિગંબર સંતોની શું શૈલી ! ગજબ શૈલી !! ચાંય આવી વાણી સાંભળવા મળે નહિ. સંપ્રદાયમાં કચાંય (સાંભળવા મળે નહિ). આહા..હા...! અરે..! એની કિંમતું નહિ અને બીજા બધા સાથે સમન્વય કરવો ! બીજા સાથે સમન્વય કરો, એમ કહે છે. ભાઈ ! રાગ અને આત્માનો સમન્વય એક ન થાય, પ્રભુ ! આહા..હા...! અરે...! જે ભાવે તીર્થંકગોત્ર બંધાય એ ભાવ અને આત્માની વચ્ચે સાંધ છે. આહા..હા...! બેને સંધિ છે. બે એક નથી થયા. આહા..હા...! બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી... આહા..હા...! શુભરાગ મહાવ્રતનો હો પણ એ રાગ અને આત્મા બે એક થયા નથી. બે દ્રવ્ય ભિન્ન છે. આહા..હા...! આ અહીંનું છે ? આ તો પહેલાનું છે. આ ‘સોનગઢ’નું છે ? આહા...હા...! અહીં તો એના અર્થ થાય છે. આહા..હા...! પ્રભુ ! તને તારી કિંમત નથી, નાથ ! તારો સ્વભાવ નિત્યાનંદ પ્રભુ !
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy