SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૧ ૪૩૭ ને ? આહા...હા...! શુભ-અશુભ ભાવ એ આસ્રવતત્ત્વ છે. એ જીવતત્ત્વ છે ? આહા...હા...! શું શૈલી પ્રભુની ! ઓ.હોહો..! ચારે કોર જુઓ તો સત્ય ભિન્ન ઊભું થાય છે. આહા...હા....! નવ તત્ત્વમાં પુણ્યના પરિણામ, જેને શુભજોગ કહે એ તો આસ્રવતત્ત્વમાં અને પુણ્યતત્ત્વમાં જાય છે. એ તત્ત્વ છે કે નહિ ? એક વસ્તુ છે કે નહિ ? ભલે પર્યાયરૂપ છે પણ વસ્તુ છે ને ? આહા...હા...! એ શુભભાવમાં પણ અનંતી સપ્તભંગી ઊઠે છે. જેમાં દ્રવ્યનો શુદ્ધ ઉપયોગ અને દ્રવ્ય એમાં નથી. એમાં પૂર્વ પર્યાય નથી, ભવિષ્યની નથી. પરદ્રવ્યનો ભાવ – અંશ નથી. એવી અનંત શક્તિનું સત્ત્વ એ છે. એક બીજી ચીજ છે. આહા...હા...! એક કોર ભગવાન આત્મા – આતમરામ – ગામ ! એક કોર આતમરામ અને એક કોર રાગ, એમ કીધું છે ને ? એકલો રાગ શબ્દ વાપર્યો છે. એક ઠેકાણે, નહિ ? રાગ આદિ. આહા..હા...! એ રાગમાં બધું લઈ લેવું. દ્વેષ, મિથ્યાત્વ, હાસ્ય, વાસના, વિપરીત માન્યતા (આદિ). આહાહા..! એ બે ચીજમાં... આહાહા....! છે ? સંધિ છે. અશુદ્ધપણે પરિણમેલ છે એમ તો સિદ્ધ કર્યું. પર્યાયમાં પરિણમન છે. ‘તોપણ પરસ્પર સંધિ છે... આહા...હા...હા...! જો એક થયા હોય તો જુદા પડે નહિ. અશુદ્ધ પરિણામ અને ભગવાન આત્મા એક થયા હોય તો જુદા પડે નહિ. માટે બે છે. એણે માન્યા છે કે મારા છે, વસ્તુ એની નથી. આહાહા...! સમજાણું કાંઈ ? હજી તો અહીં શરીરની ક્રિયા કરે તોપણ આત્મા કરે એમ માનવું છે. અર.૨.૨...! એ તો ક્યાંય દૂર રહી ગયા). અહીં શુભ ઉપયોગ પણ અચેતન – જડ તત્ત્વ છે. આહા...હા...! ભગવાન ચેતનાતત્ત્વ છે. ધ્રુવ ચેતનાતત્ત્વ ત્રિકાળ જ્ઞાયકતત્ત્વ ! આહા...હા...! અને શુભ જોગ અચેતનતત્ત્વ, આસ્રવતત્ત્વ, પુણ્યતત્ત્વ છે). ભિન્ન ક્ષેત્ર, ભિન્ન ભાવ (છે). આહા...હા...! બે છે માટે વચમાં એકપણું થયું નથી. વચમાં સાંધ રહી છે એમ કહે છે. આહા...હા...! પછી કહે છે, સંધિમાં જ્ઞાનને નાખ. સાંધ છે ત્યાં અંદર જ્ઞાનને એકાગ્ર કર. આહા..હા...! અરે...! વીતરાગમાર્ગ જિનેન્દ્રદેવ ત્રિલોકનાથનો આ માર્ગ છે. પોતે ત્રિલોકનાથ છે ! આહાહા..! ભગવતસ્વરૂપ જિનસ્વરૂપ છે ને ? તો જિનસ્વરૂપ અને રાગસ્વરૂપ. જિનસ્વરૂપ – અહીં ચેતના કીધું. એ ચેતના એટલે જિનસ્વરૂપ ત્રિકાળી ચેતનામાત્ર વીતરાગસ્વરૂપ છે અને રાગ તે વિકારસ્વરૂપ – રાગસ્વરૂપ છે. એના ક્ષેત્ર ભિન્ન, ભાવ ભિન્ન છે, તેથી બે વચ્ચે સાંધ છે. આહા..હા...! આ કાંઈ પંડિતાઈની ચીજ નથી. આ તો બાપુ ! અંતરની વાતું છે. આહા..હા...! પરસ્પર...” પરસ્પર સમજાણું ? રાગના ભાવ અને આત્મામાં, આત્માથી રાગ ભિન્ન અને રાગથી આત્મા ભિન્ન. પરસ્પર છે ને ? પરસ્પર એટલે બન્ને આવ્યા. શુભરાગ અને શુદ્ધ ચૈતન્યવહુ જિન – જિનસ્વરૂપ અને રાગસ્વરૂપ – બે વસ્તુ ભિન્ન છે. આહાહા....! તેથી તેમાં સંધિ છે. પરસ્પર સંધિ છે... પરસ્પર સંધિ છે. રાગથી ભિન્ન ભગવાન અને
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy