________________
૪૦)
કલશામૃત ભાગ-૫ (રૂાની‘અહીંથી શરૂ કરીને.” (પૂર્ણ જ્ઞાન) “શુદ્ધ જ્ઞાન” પૂર્ણ જ્ઞાન (એટલે) કેવળજ્ઞાન. આહાહા..! “સમસ્ત આવરણનો વિનાશ થતાં...” શુદ્ધ જ્ઞાન થાય છે.” આહા...હા..! મોક્ષ અધિકાર છે ને? પહેલાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ (છે) એનું જઘન્ય અવલંબન – આશ્રય લેતાં સમ્યગ્દર્શન થાય છે, મિથ્યાત્વનો નાશ થાય છે પછી ત્રિકાળી આનંદનો વધારે આશ્રય લેતાં ચારિત્ર થાય છે. ત્યારે તે અચારિત્રના પરિણામ અને અચારિત્ર કર્મ નાશ થાય છે. ઉગ્ર આશ્રય લેતાં શુક્લધ્યાન થાય છે અને જે અસ્થિરતા હતી તેનો નાશ થાય છે. પૂર્ણ ઉગ્ર આશ્રય લેતાં કેવળજ્ઞાન થાય છે. અપૂર્ણતા અને આવરણનો નાશ થાય છે. સમજાણું કાંઈ ? આ નિશાળ બીજી જાતની છે. આહા...હા...! એક તો સંસારના કામ આડે નવરાશ ન મળે. આખો દિ પાપ, પાપ ને પાપ. એમાં હજી પુણ્યના પણ ઠેકાણા ન મળે અને આ ધર્મ સમજવા માટે તો ઘણો પુરુષાર્થ જોઈશે. સમજાણું કાંઈ ? આહાહા...!
એ પૂર્ણ શક્તિવંત શું છે ? એ વાત અંદરમાં હજી જ્ઞાનમાં આવવી એ પણ કઠણ છે. આહાહા...! ભગવાન પૂર્ણ જ્ઞાન પૂર્ણ, આનંદ એવી અનંત શક્તિઓ તે બધી શક્તિઓ પૂર્ણ છે અને અનંત શક્તિનું પૂર્ણ એકરૂપ તે દ્રવ્ય છે. આહા..હા....! એટલે ગુણ અનંત કહ્યા અને એનું એકરૂપ દ્રવ્ય કહ્યું. હવે, એ અનંત ગુણની અનંતતાનું એકરૂપ એવા દ્રવ્યનો આશ્રય કરતાં.... આહા..હા...! આશ્રય પર્યાય કરે છે. આશ્રય એટલે ? પર્યાયનો તે તરફ ઝુકાવ થાય છે. આહા...હા...! ત્રિકાળી જ્ઞાયકભાવ અનંત આનંદ પ્રભુ પડ્યો છે. પરમાત્મસ્વરૂપ જ ઈ છે. વસ્તુ પરમાત્મ – ભગવત્ સ્વરૂપ છે. એ ભગવત્ સ્વરૂપનો આશ્રય લઈને જે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય, પૂર્ણ નિર્મળ (પર્યાય) પ્રગટ થાય તેને મુક્તિ કહે છે. અલ્પ નિર્મળ થાય તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. આહા..હા....! શબ્દો તો ઘણા સહેલા પણ એના ભાવ, બાપુ ! બહુ મોંઘા છે ! આહા..હા....!
કહે છે કે, શુદ્ધ જ્ઞાન (સમસ્ત) આવરણનો અભાવ થતાં તે “શુદ્ધ વસ્તુનો પ્રકાશ તે આગામી અનંત કાળ પર્યત તે જ રૂપે રહે છે....” “વિનય છે ને ? ‘વિનય આહાહા....! જેણે આ આત્મા આનંદસ્વરૂપ પ્રભુ! એનો પૂર્ણ (અવલંબન) લઈને જે કેવળજ્ઞાન, આનંદ આવ્યો એનો હવે વિજય થયો. એ વિજય હવે અનંત કાળ રહેવાનો. આહા..હા..! ‘વિનય ભાષા જોઈ ? “આગામી અનંત કાળ પર્યત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી.” એનું નામ “વિનયતે” આહાહા.!
જેમ આત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ શક્તિનું પૂર્ણ રૂપ છે), એનો અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય એ પડતું નથી. અહીં તો ત્યાંથી લેવું છે. પછી સ્વરૂપમાં સ્થિરતા થતાં ચારિત્ર થાય. એ ચારિત્રની મર્યાદા છે. જેને હજી ભવ કરવો છે એને મરણ સુધી ચારિત્ર રહેશે. પછી ચારિત્ર નહિ રહે પછી સ્વર્ગમાં જશે. પણ એ ત્રીજા ભવમાં ચારિત્ર પ્રગટ કરશે જ. એવી શૈલીવાળું ચારિત્ર એને આવશે. આહાહા.! કહ્યું ઈ ?