________________
૩૯૮
કલશામૃત ભાગ-૫
અભાવ છે. આ બંધનો અધિકાર અહીં પૂરો કર્યો. આહા...હા...! સમજાય છે કાંઈ ?
બીજી રીતે કહીએ તો આત્મામાં અનંત જ્ઞાન, અનંત આનંદ પ્રગટ થાય છે એ કોઈ બહારથી આવતું નથી. આહા...હા...! મોક્ષ દશા જે પ્રગટ થાય છે એ દશા કાંઈ બહારથી આવતી નથી. એ મોક્ષ સ્વરૂપ જ છે. ત્રિકાળ મોક્ષ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. એને પર્યાયમાં જે રાગના બંધનો સંબંધ હતો એ ત્રિકાળી અબંધ સ્વભાવ – મુક્ત સ્વભાવનો આશ્રય લઈ – અવલંબન લઈને પર્યાયમાં એ મુક્ત દશા પ્રગટ થઈ ત્યારે બંધ દશાનો અભાવ થયો. આહા..હા..! સમજાણું કાંઈ ?
ઉપયોગ સૂક્ષ્મ થઈને અંદર એકાગ્ર થાય એટલે શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ થાય. સ્થૂળ ઉપયોગ ત્યાં કામ કરે જ નહિ. સ્થૂળ ઉપયોગ તો રાગમાં જોડાય છે. સૂક્ષ્મ ઉપયોગ થઈ
જ્યાં પૂર્ણ સ્વરૂપ છે ત્યાં જઈ અને શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણ થાય તેને મુક્ત કહેવાય છે, તેને બંધનો સર્વથા અભાવ કહેવાય છે. આહા..હા..! આવી વાતું છે. એ અધિકાર ત્યાં પૂરો કર્યો. બંધનો અભાવ (થયો) અને મુક્તિની પર્યાય પ્રગટ થઈ). મુક્ત સ્વરૂપ છે એવી મુક્ત પર્યાય પ્રગટ થઈ. એમ કરીને અધિકાર પૂરો કર્યો. આહાહા..!
“મોક્ષ અધિકાર' ! કળશ-૧૮૦.
(શિરી)
द्विधाकृत्य प्रज्ञाकचदलनाद्वन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्। इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१-१८० ।।
ખંડાન્વય સહિત અર્થ – ‘રૂાન પૂઈ જ્ઞાને વિનયને” (રૂાની) અહીંથી શરૂ કરીને (પૂU જ્ઞાનં, શુદ્ધ જ્ઞાન અર્થાત્ સમસ્ત આવરણનો વિનાશ થતાં થાય છે જે શુદ્ધ વસ્તુનો પ્રકાશ તે વિનય) આગામી અનંત કાળ પર્યત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી. કેવું છે શુદ્ધ જ્ઞાન? “તસવવૃત્ય” (ત) કર્યો છે (વ યં કરવાયોગ્ય સમસ્ત