SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૭ ૩૪૩ પહેલી જ્ઞાનીની ગાથા આવી ગઈ. આ અજ્ઞાનીની (ગાથા છે). “જ્ઞાની તિ વસ્તુqમા સ્વં ન વેત્તિ' (જ્ઞાન) મિથ્યાષ્ટિ જીવ...” અનાદિથી જેની દૃષ્ટિ મિથ્યાત્વ – જૂઠી દૃષ્ટિ – અસત્ય દષ્ટિ છે એ દ્રવ્યનું... એટલે વસ્તુ સ્વરૂપનું જેવું છે તેવું “શુદ્ધ ચૈતન્ય, તેને આસ્વાદરૂપ અનુભવતો નથી, શું કહે છે ? કે, આત્માનું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય આનંદ છે. એને અજ્ઞાની પોતાના આનંદસ્વરૂપને દૃષ્ટિ ચૈતન્ય ઉપર નહિ હોવાથી તે આનંદના સ્વાદને આસ્વાદતો નથી. સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ચૈતન્ય આનંદ, જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે અને સ્વભાવની દૃષ્ટિ કરીને વર્તમાનમાં તેના આનંદના સ્વાદને અજ્ઞાની લેતો નથી. ત્યારે શું કરે છે ? છે ? તેન : રવીન્દ્ર ત્મિનઃ ” જ્યારે સ્વરૂપની, શુદ્ધ ચૈતન્યની સમ્યક દૃષ્ટિ નથી, તેનું જ્ઞાન નથી અને તેના આસ્વાદનું આચરણ નથી. આ.હા...! ત્યારે એ અજ્ઞાની અનાદિથી શું માન્ય કરે છે ? “સ: રવિન્ માત્માન કર્યાત્ “ મિથ્યાષ્ટિ જીવ રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવે છે.... આહાહા..! બે વાત કરી. જ્ઞાની સમ્યગ્દષ્ટિ જીવ ધર્મી એને કહીએ કે, જે પોતાના અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો અનુભવમાં સ્વાદ લેતો હોય. આહા..હા...! વ્યવહાર રત્નત્રયની દયા, દાન, વ્રત, ભક્તિની ક્રિયા કરતો હોય એ નહિ. એ તો રાગ છે. એ રાગ જ્ઞાનીને આવે ખરો પણ એ પોતાનો માનીને તેનો સ્વાદ લેતો નથી. આહા...હા..! આવી વ્યાખ્યા છે. અજ્ઞાની રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ, ચાહે તો શુભભાવ હો, દયા, દાન, ભક્તિ, વ્રત, તપનો ભાવ – શુભરાગ (હો) એને આત્મા તરીકે અનુભવે છે. આહાહા...! આવો મોટો ફેર છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ ક્રિયાકાંડ બરાબર કરતો હોય પણ એ તો તેનો રાગ છે. એ રાગને આત્મા તરીકે અનુભવે છે. એ પોતાનું સ્વરૂપ છે એમ અજ્ઞાની અનુભવે છે. “બંધ અધિકાર છે ને ? આહા...હા...! ઝીણો માર્ગ બહુ, બાપુ ! વીતરાગમાર્ગ... આહા...હા..! જેને આત્મા પૂર્ણાનંદ અને જ્ઞાયક સ્વભાવનો આશ્રય નથી, એનું અવલંબન નથી, એનો એને વર્તમાન પર્યાયમાં આધાર નથી તે આત્માની શાંતિને અનુભવતો નથી. આહા...હા...! અને તેને એ રાગ અને દ્વેષના પરિણામ, ચાહે તો દયા, દાન, વ્રતના પરિણામ) હો, પણ એ રાગને આત્મા તરીકે, જીવના સ્વરૂપ તરીકે જાણીને અનુભવે છે. આહાહા...! આકરી વાત ! આવો ધર્મ, લ્યો અજ્ઞાની-જ્ઞાનીમાં ફેર આ (છે). ધર્મી પોતાનું શુદ્ધ સ્વરૂપ આનંદઘન જ્ઞાનપિંડ પ્રભુ ! તેનો આશ્રય અને અવલંબન હોવાથી તેને આત્માના અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું વેદન છે. આહા...હા...! અનુભવ છે. અજ્ઞાનીને એ આત્મવસ્તુના સ્વરૂપની ખબર નથી તેથી તે સ્વરૂપમાં નથી એવા પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને જીવનું સ્વરૂપ જાણીને અનુભવે છે. કહો, સમજાય છે
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy