SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ કલશામૃત ભાગ-૫ તરીકે તેને જાણે છે. એ “મોક્ષમાર્ગ પ્રકાશક'માં આવ્યું છે ને ? કે, વ્યવહારનયને ગ્રહવી એમ કહ્યું છે ને ? ગ્રહવાનો અર્થ જાણવું એમ લીધું છે. એમ કહ્યું છે. મુમુક્ષુ :- જાણવું તે જ ગ્રહણ કરવું છે. પૂજ્ય ગુરુદેવશ્રી :- જાણવું તે જ ગ્રહણ કરવું છે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં બહુ ઘણું સ્પષ્ટીકરણ, બહુ સ્પષ્ટ ! લોકો વિરોધ કરે, ભલે કરે. વીસપંથી કરે છે. આ ફિલટનમાં બહુ વિરોધ કર્યો કે, “ટોડરમલ” અને “બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા ! અરે..! પ્રભુ! આમ ન કહેવાય, પ્રભુ ! અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા ! અધ્યાત્મને ભાંગ કહેવાય ? અર.૨.૨...! બીજી રીતે (વાત) બેઠી હોય (એટલે) કહે, ભાઈ ! કહે. આહા...હા...! જે રીતે વસ્તુની સ્થિતિ છે એ રીતે ખ્યાલમાં ન આવ્યું અને બીજું ખ્યાલમાં આવ્યું અને આવ્યું એ તો એને પાકો આત્મા થઈ ગયો. હવે ઈ કેમ ફેરવે ? આહાહા...! (અહીંયાં કહે છે), ‘આ કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા...” આ કારણથી એટલે ? કે, એ ઉપાધિ છે, કર્મના નિમિત્તની, પરસંગની ઉપાધિ છે. ઈ પોતાનો સ્વભાવ નથી. આ કારણથી તેનો ઉકત થતો નથી. આ કારણ – હેત આપ્યો. સમજાણું કાંઈ? કર્તા થતો નથી.” “ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું. નથી...' સ્વામી એટલે પોતાપણું નથી એમ એનો અર્થ છે). એ રાગાદિ થાય છે એમાં પોતાપણું નથી એટલે સ્વામિત્વ નથી. આહા...હા...! મૂળ તો આમ (છે) કે, જે જીવનું સ્વરૂપ જ નથી, એ તો ઉપાધિ છે. છે પોતાને લઈને પણ નિમિત્તને વશે થયેલી ઉપાધિ છે એ મારું સ્વરૂપ નથી. તેથી તેનો હું સ્વામિ નથી. જો હું સ્વામિ હોઉં તો તે મારી ચીજ થઈ જાય. સમજાય છે કાંઈ ? આહા...હા...! અરે..! - અહીં તો ઘડીએ ને પળે પરનો સ્વામિ, પરનો સ્વામિ (થાય છે). આહા...હા...! પત્નીનો પતિ હું, નરપતિ, મનુષ્યનો પતિ રાજા – નરપતિ, કરોડપતિ, લક્ષ્મપતિ... બધા કેવા ? ઉદ્યોગપતિ ! ઉદ્યોગપતિ હતો કે દિ' ? એ તો જગતને ઓળખાવવાની વાત છે. ઉદ્યોગપતિ તો બોલાવવામાં (છે), સ્વભાવમાં પુરુષાર્થ કરે તે ઉદ્યોગપતિ છે. ઉદ્યોગપતિ ! આમ કર્યું, એણે આમ કર્યું ને આમ કર્યું. (એક ભાઈનું) બહુ લખ્યું છે. લખાણ બહુ આવે છે, ઉદ્યોગ આમ કર્યો, ફલાણું આમ કર્યું, ઢીકણું આમ કર્યું. કોણ કરે ? બાપુ ! તને ખબર નથી. આહા..હા...! રાગ કર્યો હોય. મુમુક્ષુ :- કર્યું છે.... ઉત્તર :- રાગ કર્યો છે. બિહારમાં) તો કાંઈ કર્યું નથી. સમકિતી લડાઈમાં ઊભો હોય છે અને દ્વેષનો અંશ પણ એને આવે છે. આહાહા...! સેંકડો હાથીનાં તાળાં તૂટી જાય, ફૂટી જાય. લાલ લોહીવાળા મુક્તાફળ હાથીમાંથી પડ્યા
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy