________________
કળશ-૧૭૩
૨૮૩
ધર્મ નથી. અરે..!
મિથ્યાત્વભાવનો થયો છે ત્યાગ, તેને હું એમ માનું છું કે.” નિતિ : જોયું ? જેટલા સત્ય અને અસત્યરૂપી ભાવ (થાય તે). “નિશ્વિત: સમસ્ત પ્રકારના શુભ-અશુભ ભાવ. આહા...હા...! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ પણ સમકિતીને તો હેય છે. આહા..હા..! આવું સ્વરૂપ છે, પ્રભુ ! શું થાય ? અરે! અનંતકાળથી મિથ્યાશ્રદ્ધા કરીને નરક અને નિગોદના પ્રભુ અનંત ભવ કર્યા, ભાઈ ! ભૂલી ગયો. (આ ભાઈ) કહે છે ને ? યાદ તો આવતા નથી. આહા...હા...! પણ પ્રભુ ! તું આત્મા છો કે નહિ ? એ આત્મા અનાદિનો છે કે નવો થાય છે ? આ તો શરીરનો સંયોગ નવો થયો, (આ) શરીરનો વિયોગ થશે. આત્માને સંયોગ થાય છે ? આત્મા તો અનાદિનો છે (અને) અનંતકાળ રહેશે. એ તો શાશ્વત વસ્તુ છે. એવા ભગવાનને... આ...હા..હા...! પરવસ્તુને કરવાની એકત્વબુદ્ધિ, પ્રભુ ! તું એક, અનેકને કરે ? તારા પરિણામમાં શુભ-અશુભ, શુદ્ધ પરિણામ) કર, થાય. અહીં તો શુભ-અશુભ કરે અને કર્તા થાય તોપણ મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! થાય ખરા, એ તો બપોરે આવે છે ને ? (એ) ભાવ હોય, પણ એ કરવા લાયક છે એવી માન્યતા ધર્મીને હોય નહિ. સમજાણું કાંઈ ? આ.હાહા.. કેટલું ફેરવવું આમાં ! આખું ઉગમણું, આથમણું (જેવું છે).
મુમુક્ષુ – દિશા જ બદલવાની છે.
ઉત્તર :- દિશા બદલવાની છે, બાપા ! આહા...હા...! પરની દિશા તરફ ગયેલો ભાવ, પરના કરવામાં રોકાય તો એકત્વબુદ્ધિમાં મિથ્યાત્વને સેવે. પોતાના સ્વરૂપથી ખસીને, પરને અનુસરીને જે દયા, દાન, વ્રતના પરિણામ થાય એ પુણ્યબંધના કારણ છે. એકત્વબુદ્ધિ છોડાવી તેની સાથે પરાશ્રિત ભાવ પણ છોડાવ્યો છે.
નિરિવર્તઃ વ્યવહાર: બધો વ્યવહાર છોડાવ્યો છે. આ સાંભળીને અત્યારના પંડિતો રાડ નાખે છે.
મુમુક્ષુ :- શુદ્ધ વ્યવહાર પણ છોડાવ્યો છે.
ઉત્તર :- શુદ્ધ વ્યવહાર છોડાવ્યો. દ્રવ્યદૃષ્ટિમાં એ પણ હેય છે. જાણવાલાયક હોય છે અને એને – શુદ્ધ પરિણામને) કરવાલાયક છે એમ) પણ કહેવાય. કરવાલાયક છે એમ પણ કહેવાય. દ્રવ્ય કરે છે એમ પણ કહેવાય છે તો પર્યાય કરે છે. એવો માર્ગ છે, ભાઈ ! આહાહા...! શુદ્ધ પરિણામ છે એને એક ન્યાયે તો કહ્યું નહિ ? પરદ્રવ્ય કહ્યું
મુમુક્ષુ :- શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કીધી.
ઉત્તર :- શુદ્ધ પરિણામ કહો કે શુદ્ધ પર્યાય કહો, એક જ છે. કે શુદ્ધ ભાવ કહો. જે શુદ્ધ પરિણામ ધર્મનું રૂપ છે, એને એક ન્યાયે સ્વદ્રવ્યની અપેક્ષાએ પદ્રવ્ય કહ્યું. કેમકે